VIDEO: નોરતા નગરી ગરબા વિવાદમાં નવો વળાંક
સોર્સ : gstv
અમદાવાદમાં નોરતા નગરી ગરબાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કિર્તીદાન ગઢવીના ગ્રુપ દ્વારા દર્શન શાહ સામે ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ વચ્ચે તેમના વકીલ કિશન ચકવાવાલાએ દર્શન શાહ ગરબાના ભાગીદાર જ ન હોવાનું જણાવ્યું છે. વકીલના દાવા મુજબ પેપર પર માત્ર જયેશ પરમાર, અર્જન ભૂતિયા, કૃષ્ણ ગઢવી અને જીગર ચૌહાણ ચાર જ ભાગીદાર છે. પાસ વેચાણ, કરોડોની ઉચાપત અને સ્પોન્સરશિપ અંગેના આક્ષેપોને પણ વકીલે નકારી કાઢ્યા છે. સાથે જ સરખેજ પોલીસની ફરિયાદ સામે હાઈકોર્ટમાં અરજી કરવાની જાહેરાત કરી છે.

