VIDEO: નારોલ ચાર રસ્તા પાસે ટ્રાન્સપોર્ટના વેપારીને નકલી પોલીસ બની જેલમાં નાખવાની ધમકી આપી લાખો પડાવ્યા
સોર્સ : gstv
અમદાવાદના નારોલ ચાર રસ્તા નજીક નકલી પોલીસ બનીને વેપારી સાથે તોડબાજી અને લૂંટ ચલાવનાર ત્રિપુટી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રકુમાર નામના વેપારીને ૩ અજાણ્યા શખસોએ અવાવરું જગ્યાએ લઈ જઈને તમે ખરાબ ધંધા કરો છો તેમ કહી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી અને ૩ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારી પાસે રોકડ ન હોવાથી આરોપીઓએ તેમના મોબાઈલમાંથી ફોન-પે (PhonePe) દ્વારા ૧.૬૦ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગંભીર ઘટના અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

