Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : More than 11 thousand lawyers took oath at the Bar Council oath-taking ceremony in Ahmedabad.

અમદાવાદમાં બાર કાઉન્સિલના શપથ સમારોહમાં 11 હજારથી વધુ વકીલોએ શપથ લીધા

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં બાર કાઉન્સિલના શપથ સમારોહમાં 11 હજારથી વધુ વકીલોએ શપથ લીધા

અમદાવાદ શહેરમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતનો ભવ્ય વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના કુલ 11 હજાર કરતાં વધુ વકીલોએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં શપથ લીધા હતા. દેશમાં પોતાની આગવી રીતે પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વકીલોએ શપથ લીધા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. જે એક રેકોર્ડ છે.

App Store

વકીલોના શપથ સમારોહ અને બાર કાઉન્સિલના કાર્યક્રમ વિશે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલને નિવેદન આપ્યું હતું. કે દેશમાં વકીલોનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. હાલમાં તમામ રાજકીય પક્ષના પ્રવક્તા પણ વકીલ જોવા મળે છે. દેશના આઝાદી સમયે પણ વકીલોનું મહત્વનું યોગદાન રહેલું છે.

વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં લેવાઈ નોંધ

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાર કાઉન્સીલ ઑફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, સોલીસીટર જનરલ તુષાર મહેતા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત જજીસ રાજ્યના તમામ 280 વકીલ મંડોળના હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી આશરે 17 હજારથી વધુ વકીલો આ ઈવેન્ટના સાક્ષી બન્યા હતા.