VIDEO: અમદાવાદમાં તિરંગા યાત્રાનો મહાકુંભ: ૬૦૦ ફૂટ લાંબો તિરંગો અને ૫૦ હજારથી વધુ લોકો!
સોર્સ : gstv
અમદાવાદમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ગૌરવવંતી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાયપુરના ૧૦ એકર મોલથી સારંગપુર દરવાજા સુધીના દોઢ કિલોમીટરના રૂટ પર આ આકર્ષક યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ ૬૦૦ ફૂટ લાંબો તિરંગો રહેશે, જેને પકડીને અંદાજે ૫૦,૦૦૦થી વધુ નાગરિકો સાથે ભાજપના પદાધિકારીઓ અને AMCના અધિકારીઓ જોડાશે. સમગ્ર રૂટ પર વિવિધ ૧૩ સ્ટેજ તૈયાર કરી તેને ટ્રાય કલરની રોશનીથી શણગારવામાં આવ્યો છે, જ્યારે પ્રથમ વખત યાત્રાની પૂર્ણાહુતિ સમયે આકાશમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.

