VIDEO : Ahmedabad વસ્ત્રાલમાં અપૂરતા પાણી મુદ્દે સ્થાનિકોનો હોબાળો, મેયર હિતેશ બારોટ કાર્યક્રમ અધૂરો મૂકી દોડ્યા
સોર્સ : gstv
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઔડા દ્વારા નિર્મિત EWS આવાસના રહિશોએ બોરના ઓછા અને અપૂરતા પાણીની સમસ્યાને લઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સમયથી કોર્પોરેશનના પાણી માટે કરેલી અરજીનો ઉકેલ ન આવતા, સ્થાનિકોએ મેયર હિતેશ બારોટને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. રહિશોના આક્રોશને જોતા મેયર તેમનો નિર્ધારિત કાર્યક્રમ અધૂરો મૂકી તાત્કાલિક AMC કચેરી પહોંચ્યા હતા અને વિરોધ કરનારા લોકોને મળીને આગામી ૧૫ દિવસમાં કોર્પોરેશનનું પીવાનું પાણી પૂરું પાડવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.

