Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : LCB Zone-1 team solves Naranpura Jain temple theft case

VIDEO: નારણપુરા જૈન મંદિર ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-૧ ની ટીમ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નારણપુરા પ્રગતિનગર જૈન મંદિરમાં ૨૦ દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ઝોન-૧ ની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે પદ્માવતી માતાજીના ચોરાયેલા ચાંદીના મુગટ અને છત્તર સહિત ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા પણ જપ્ત કરી છે. ફૂટપાથ અને ઝૂંપડામાં આશરો લઈને ચોરીની પ્રવૃત્તિ કરતા રીઢા ગુનેગારો બળદેવ વાંસફોડીયા, રવિ ઉર્ફે લલો અને અરુણ ઉર્ફે દદુને પકવાન બ્રિજ નીચેથી દબોચી લેવાયા છે. પકડાયેલા આરોપીઓ પૈકી રવિ ઉર્ફે લલો અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹૭૬ હજારની કિંમતના ચાંદીના દાગીના અને ₹૧ લાખની રિક્ષા મળીને કુલ ₹૧.૭૬ લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store