'આ જજ બહુ બોલે છે', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે વકિલ બાખડ્યા

ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ બ્રિજેશ જે ત્રિવેદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમય દરમિયાન એક પીઆઈએલ (જાહેર હિતની અરજી)ની સુનાવણી ચાલી રહી હતી. એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના વર્તનની ટીકા કરતા કહ્યું કે, તેઓ વકીલો ખાસ કરીને વરિષ્ઠ વકીલોને તેમની દલીલો પૂર્ણ કરવાની તક આપતા નથી. બ્રિજેશ ત્રિવેદીએ તો એમ પણ કહ્યું કે તેઓ આ પરિસ્થિતિ સહન કરી રહ્યા છે, પરંતુ તે વારંવાર આવું થઈ રહ્યું છે અને તે યોગ્ય નથી.
આ પણ વાંચોઃ ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તેમણે કહ્યું, "આ વારંવાર થઈ રહ્યું છે. કોર્ટના દરેક વરિષ્ઠ વકીલે આવું સહન કરવા માટે ખૂબ જ ઉદારતા દાખવી છે. મેં 2023માં લોર્ડ ફ્રાન્સિસ બેકોનના એક સારા ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો. હું તેને પુનરાવર્તન કરવા માંગતો નથી. મને આશા છે કે આપની મહારાણીને આ યાદ હશે. હું કોઈ જજ નથી, આ એક અતિશયોક્તિપર્ણ ન્યાયાધીશના બાબતે છે.
તમને જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ ગેરકાયદેસર બાંધકામો સંબંધિત જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી. આ કેસમાં અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ ત્રિવેદી કરી રહ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશે ત્રિવેદીને કહ્યું, "કૃપા કરીને મને મારું નિવેદન પૂર્ણ કરવા દો. મેં તમને કંઈક પૂછ્યું પણ તમે મને મારો પ્રશ્ન પૂર્ણ કરવા દીધો નહીં." આના પર ત્રિવેદીએ જવાબ આપ્યો, "કોઈ વાંધો નહીં. તમે આદરપૂર્ણ પ્રશ્નો પૂછી શકો છો."
જ્યારે મામલો વધુ વકર્યો અને ત્રિવેદીએ કોર્ટને કેસ બીજી બેન્ચને મોકલવાની માગ કરી ત્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "આ પ્રકારનું વર્તન કોર્ટમાં ન થવું જોઈએ." આ પછી ત્રિવેદીએ કહ્યું કે, તેઓ કેસની સુનાવણી માટે બે અઠવાડિયાનો સમય માંગે છે. આ બાબતે મુખ્ય ન્યાયાધીશે આપત્તિ દર્શાવી હતી.
આ દરમિયાન જ્યારે બીજા વકીલે ત્રિવેદીને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા અને કહ્યું કે,આ કોઈ વ્યવહાર નથી. જે પ્રકારે હાઇકોર્ટે કેસ સાંભળવા જોઈએ. તેમણે કોર્ટને કેસ મુલતવી રાખવાની અપીલ કરી અને કહ્યું કે કોર્ટ તરફથી આ યોગ્ય વર્તન નથી. જ્યારે ઉગ્ર દલિલો વધી ત્યારે વકીલ ત્રિવેદીએ જજ પર 'ઓવરસ્પિકિંગ જજ' હોવાનો આરોપ લગાવ્યો હતો.

