Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: New 'Saratha' in Ahmedabad Railway Construction Department: Khemraj Meena takes charge as PRO

Indian Railways: અમદાવાદ રેલવે નિર્માણ વિભાગમાં નવા ‘સારથિ’: ખેમરાજ મીનાએ PRO તરીકે પદભાર સંભાળ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways:  અમદાવાદ રેલવે નિર્માણ વિભાગમાં નવા ‘સારથિ’: ખેમરાજ મીનાએ PRO તરીકે પદભાર સંભાળ્યો
સોર્સ : GSTV

Indian Railways: પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગ, અમદાવાદમાં વહીવટી સ્તરે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેના અનુભવી અધિકારી ખેમરાજ મીનાએ તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ નિર્માણ વિભાગમાં જનસંપર્ક અધિકારી (PRO) તરીકે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. વર્ષના પ્રથમ દિવસે જ પદભાર સંભાળીને તેમણે પોતાની નવી જવાબદારીઓની શરૂઆત કરી છે.

App Store

વ્યાપક અનુભવનું ભાથું
ખેમરાજ મીના રેલવે જનસંપર્ક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. અમદાવાદમાં બદલી થતા પહેલા તેઓ પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ ઇન્દોર ખાતે જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઇન્દોરમાં રેલવેની છબી સુધારવા અને મુસાફરો સુધી સચોટ માહિતી પહોંચાડવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

માત્ર રતલામ જ નહીં, પરંતુ તેમણે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ અને દક્ષિણ ભારતમાં દક્ષિણ રેલવેના તિરુવનંતપુરમ મંડળમાં પણ જનસંપર્ક અધિકારી તરીકે સફળતાપૂર્વક સેવાઓ આપી છે. વિવિધ ઝોન અને મંડળોમાં કામ કરવાના અનુભવને કારણે તેઓ રેલવેની કાર્યપ્રણાલી અને જનસંચારની કળામાં અત્યંત નિપુણ ગણાય છે.

શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય
ખેમરાજ મીના શૈક્ષણિક રીતે પણ ઉચ્ચ લાયકાત ધરાવે છે. તેમણે એશિયાની પ્રતિષ્ઠિત સંસ્થા ભારતીય જન સંચાર સંસ્થાન (IIMC)માંથી પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો છે. પત્રકારત્વના સૈદ્ધાંતિક જ્ઞાન અને રેલવેના પ્રાયોગિક અનુભવના સમન્વયથી તેઓ મીડિયા અને રેલવે વહીવટીતંત્ર વચ્ચે એક મજબૂત કડી તરીકે ઉભરી આવ્યા છે.

નિર્માણ વિભાગને મળશે નવી દિશા
અમદાવાદમાં પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગ દ્વારા અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ખેમરાજ મીનાની નિમણૂકથી રેલવેના બાંધકામ પ્રોજેક્ટ્સ, નવી લાઈનો અને આધુનિકીકરણના કાર્યોની માહિતી જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમની કાર્યકુશળતા અને અનુભવ અમદાવાદ નિર્માણ વિભાગના જનસંપર્ક કાર્યને ચોક્કસપણે એક નવી ઊંચાઈ અને નવી દિશા પ્રદાન કરશે.