VIDEO: અમદાવાદના ઇસનપુરમાં આયોજનના અભાવે નવો આઇકોનિક રોડ ફરી ખોદાયો, તંત્રએ પ્રજાના પૈસાનો કર્યો વેડફાટ
સોર્સ : gstv
અમદાવાદના ઇસનપુરમાં નવા બનેલા આઇકોનિક રોડમાં તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે નવો રોડ બની રહ્યો હતો ત્યારે તંત્ર અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીની લાઇન નાખવાનું જ ભૂલી ગયો હતો. વરસાદી પાણીની લાઈન ન હોવાથી ભગવાનનગરમાં પાણી ભરાયાની ફરિયાદ પણ ઉઠી હતી. જે બાદ કોર્પોરેશને મોડે મોડે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ હવે આ આઇકોનિક રોડ તોડીને સ્ટોર્મ વોટર લાઈન નાખી છે. જો રોડના ડિઝાઇન સમયે જ આ વિશે ધ્યાન રખાયું હોત તો આ રીતે પ્રજાના પૈસાનો ધૂમાડો ન થયો હોત.

