Ahmedabad news: આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું

અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં તહેનાત એક હેડ કોન્સ્ટેબલ પર કમલસિંહ પરમાર નામના શખસે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સીસીટીવીના ટીવી સાથે માથું ભટકાડી તોડફોડ કરી પોલીસને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
બંદોબસ્ત દરમિયાન હિંસક હુમલો
મળતી માહિતી અનુસાર, 11મી એપ્રિલના રોજ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ અને ડ્રાઈવર વિક્રમસિંહ ગોપાલ આવાસ ઔડાના ગેટ પાસે ફરજ પર હતા. અગાઉ આરોપીના ભાઈ વિજય પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ધ્વજને નુકસાન પહોંચાડ્યું હોવાથી વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે આરોપી કમલસિંહે એક દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો, જેમાં સમજાવવા ગયેલી પોલીસ પર તે ઉશ્કેરાયો હતો.
વિજયકુમાર મકવાણાએ ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. જોકે, તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે તેમણે ઉમરેઠ પોલીસ મથકે દોડી જઈ આરપી એક્ટ 125 અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા અરજી આપી છે.
મિલકત છુપાવવી એ ગંભીર ગુનો
ફરિયાદમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ મિલકત છુપાવવી એ ગંભીર ગુનો છે. આ વિવાદને પગલે ઉમરેઠના સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. અરજદાર વિજયકુમાર મકવાણાએ જણાવ્યું છે કે, જો ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવશે, તો તેઓ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરશે. ચૂંટણી ટાણે જ ભાજપ ઉમેદવાર સામે થયેલી આ ફરિયાદ પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

