VIDEO: ગુજરાત યુનિવર્સિટી તંત્રએ કર્મચારીઓને કાર પુલિંગ કરવા આપ્યા સૂચન, PM મોદીની અપીલ બાદ લેવાયો નિર્ણય
સોર્સ : gstv
પીએમ મોદીની દેશવાસીઓને ઈંધણનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાની અપીલ બાદ હવે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કાર પુલિંગ કરવાની સૂચના આપી છે.
સાથે જ ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા સલાહ પણ આપવામાં આવી છે. ઇંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું છે. હાલ આ પહેલને લઈને શિક્ષણ અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.

