Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ghatlodia has the highest number of voters while Bapunagar has the lowest number

Ahmedabad: 14.52 લાખથી વધુ મતદારોની બાદબાકી, ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: 14.52 લાખથી વધુ મતદારોની બાદબાકી, ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર
સોર્સ : GSTV

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 23 ટકા જેટલા એટલે કે 14,52,816 મતદારોના ફોર્મ મૃત્યુ-ગેરહાજર-કાયમી ધોરણે સ્થળાંરિત અને અન્ય કારણોથી પરત જમા નહીં થયાનું સામે આવ્યું છે.

App Store

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ડ્રાફ્ટ મતદારયાદી જાહેર

અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ઈઆરઓ કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે. આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ અહી તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ પર ઓનલાઈન પણ દાવા-સુધારા રજૂ કરી શકશે તેમ કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું.

અમદાવાદ જિલ્લાની નવી ડ્રાફ્ટ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાની વિવિધ બેઠકોના મતદારોના આંકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નવી યાદી મુજબ, મુખ્યમંત્રીની બેઠક ગણાતી ઘાટલોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદારો નોંધાયા છે, જ્યારે બાપુનગર વિધાનસભા બેઠક મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાની સાબિત થઈ છે.

સૌથી વધુ અને સૌથી ઓછા મતદારો

મતદાર યાદીના આંકડાકીય વિશ્લેષણ મુજબ અમદાવાદની બેઠકોની સ્થિતિ નીચે મુજબ છે. ઘાટલોડિયા વિધાનસભામાં જિલ્લાના સૌથી વધુ 3.65 લાખ મતદારો નોંધાયા છે. જ્યારે બાપુનગર વિધાનસભામાં જિલ્લાના સૌથી ઓછા 1.50 લાખ મતદારો નોંધાયા છે.

વિધાનસભા બેઠક મૃતક મતદારો કાયમી સ્થળાંતર કુલ મતદારો
વિરમગામ 11,629 19,402 2,76,298
સાણંદ 10,998 16,805 2,67,250
ઘાટલોડિયા 12,656  57,712 3,65,177
વેજલપુર 18,161   69,149 3,16,338
વટવા 11,627  48,668 3,27,603
એલિસબ્રિજ 15,401  43,191 1,93,965
નારણપુરા 11,759  34,298  1,82,469
નિકોલ 10,361  56,746  1,94,554
નરોડા 13,910  52,845  2,24,417
ઠક્કરબાપા નગર   8075  54,008  1,74,353
બાપુનગર 11,110  33,310 1,50,097
અમરાઈવાડી 12,090  69,748  2,05,619
દરિયાપુર 12,913  26,938  1,57,156
જમાલપુર-ખાડિયા 10,565  19,163   1,64,484
મણિનગર 11,291   33,821   2,04,461
દાણીલીમડા 14,029  41,735   2,13,392
સાબરમતી 10,306  56,725   2,08,128
અસારવા  12,383  41,725   1,55,136
દસક્રોઈ  15,178  49,899   3,49,525
ધોળકા   9,522  14,574   2,30,157
ધંધુકા   9,847   22,558   2,46,337
કુલ  2,53,811   8,63,020   48,06,916

તંત્ર દ્વારા મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 2.53 લાખ મૃતક મતદારોના નામ યાદીમાં હોવાનું સામે આવ્યું હતું. વેજલપુર વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 18,161 મૃતક મતદારોના નામ મળી આવ્યા હતા. અમરાઈવાડી વિધાનસભા બેઠક પર સૌથી વધુ 69,748 મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.

મતદારો કોઈપણ માહિતી કે સહાય માટે 1950 પર સંપર્ક કરી શકશે

નવા નામ ઉમેરવાં, સ્થળાંતર કે અન્ય સુધારા માટે ફોર્મ-6, 7 અને 8 વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માહિતી મેળવી શકાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે, 'રાજ્ય ચૂંટણી અધિકારીશ્રીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા-દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે. અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12 ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે.

મતદાર યાદી સુધારણા : કયું ફોર્મ શેના માટે ભરી શકાશે?

ફોર્મ-6: નવું નામ ઉમેરવા માટે.

ફોર્મ-7 : નામ કમી કરવા, વાંધો રજૂ કરવા માટે.

ફોર્મ-8 : સુધારો, સ્થળાંતર, નામ ઉમેરાયા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા અને દિવ્યાંગતા માટે.