VIDEO: ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ: રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી મળી
સોર્સ : gstv
વિધાનસભામાં પસાર થયેલા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક બાદ રાજ્યમાં પાત્ર દુકાન, મોલ, શોરૂમ, હોટલ અને કેફે સહિતના વ્યવસાયિક એકમોને ૨૪ કલાક ખુલ્લા રાખવાનો માર્ગ મોકળો થયો છે. સરકારના આ નિર્ણયને રાજકોટના વેપારીઓ અને ગ્રાહકોએ આવકાર્યો છે. વેપારીઓનું માનવું છે કે રાઉન્ડ ધ ક્લોક વેપાર શરૂ થવાથી આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

