Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Demand for further remand of the accused in the Khyati scandal case

ખ્યાતિ કાંડ મામલે કેટલાક કોયડા ઉકેલવા આરોપીઓના વધુ રિમાન્ડની માંગ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ખ્યાતિ કાંડ મામલે કેટલાક કોયડા ઉકેલવા આરોપીઓના વધુ રિમાન્ડની માંગ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસ મામલે ચિરાગ રાજપુતને જેલમાંથી કોર્ટની મંજૂરી બાદ વધુ રિમાન્ડ માટે લાવવામાં આવ્યો. ચિરાગ રાજપૂતને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરાયો છે જ્યારે આ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલ રિમાન્ડ પર છે. ચિરાગ રાજપુત સાથે કાર્તિકની પૂછપરછ માટે ચિરાગના વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપી ચિરાગ રાજપુત તેમજ રાહુલ જૈનના આવતીકાલ સાંજ 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

App Store

આ પણ વાંચો : રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું

કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ મુદ્દે રજૂ કરાયેલા મુદ્દાઓ:-

  • ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામે આવેલા આંકડા મુજબ 112 લોકોના મૃત્યુ થયા હતા જેમાં આ બંને આરોપીઓ દ્વારા શું ભૂમિકા ભજવવામાં આવી છે.
  • ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં બહાર આવ્યું છે કે અમુક રકમ કેસમાં ઉપાડવામાં આવી છે જેનો ક્યાં અને શું વ્યવહાર કરવામાં આવ્યા છે એ બાબતની માહિતી મેળવવા બાબત.
  • હોસ્પિટલમાં થયેલી મીટીંગો બાબતેની minutes book અંગે સ્પષ્ટતા થતી નથી જેથી કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જૈનને સાથે રાખીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની જરૂર છે.