VIDEO: ચાંદીપુરા વાયરસનું જોખમ: IMA ગુજરાતની વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા અપીલ
સોર્સ : gstv
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જોખમ વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાલીઓને બાળકોના આરોગ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સેન્ડફ્લાયના કરડવાથી ફેલાતો આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર રીતે અસર કરે છે. આ ચેપ લાગવાથી ૩ થી ૫ દિવસમાં તાવ, ઊલટી, આંચકી, બેભાન થવું અને વધુ ઊંઘ આવવા જેવા લક્ષણો દેખાય છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ ન હોવાથી વહેલી સારવાર અને સ્વચ્છતા જ એકમાત્ર બચાવ છે. વાલીઓએ ઘરની આસપાસ સફાઈ રાખવી, સેન્ડફ્લાયના પ્રજનન સ્થળો દૂર કરવા અને લક્ષણો દેખાતા જ વિલંબ વગર હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.

