VIDEO: નેપાળમાં મણિનગર વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રીના ભાઈ-ભાભી લાપતા: પરિવારજનોમાં ભારે ચિંતા
સોર્સ : gstv
નેપાળની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમદાવાદના મણિનગર વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી ઉત્પલ પટેલના નાનાભાઈ મિહિરભાઈ અને ભાભી કિન્નરીબેન લાપતા થયાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા આ દંપતીને બે બાળકો પણ છે. ગઈકાલે સવારે નેપાળ-તિબેટ-ચાઇના બોર્ડર નજીકથી તેઓ સાથે મેસેજ દ્વારા વાતચીત થઈ હતી, પરંતુ ત્યારબાદથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. દંપતી સાથે સંપર્ક તૂટી જતાં પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. સ્થાનિક તંત્ર અને વહીવટી વિભાગ દ્વારા તેઓની ભાળ મેળવવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પરિવારે અપીલ કરી છે.

