VIDEO: અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશ
સોર્સ : gstv
અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહા વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. હરિયાળી વધારવાના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે વધુમાં પર્યાવરણ જાળવવા દરેક નાગરિકને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી.

