Ahmedabad news: મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : gstv
અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે આરોપી રાજકુમારસિંહ તોમરને ઝડપી લીધો છે. 30 નવેમ્બરે ચંદ્રશેખર તોમરની ચાકુના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આરોપીનું મૃતકના સંબંધીની પુત્રી સાથે પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવ્યું, જેના કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો.
ઝઘડાની અદાવતમાં રાજકુમારસિંહે ચંદ્રશેખરની ચાકુ મારી હત્યા
ઝઘડાની અદાવતમાં રાજકુમારસિંહે ચંદ્રશેખરની ચાકુ મારી હત્યા કરી હતી. પોલીસએ રિક્ષા, ચાકુ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેઘાણીનગર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

