Ahmedabad news: મેમનગર વાળી નાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત
સોર્સ : GSTV
અમદાવાદના મેમનગર વાળી ચોક પાસે ખરાબ ઘટના ઘટી છે. અહીં બે યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત થયું છે. મૃતકનું નામ નાથુસિંહ રાઠોડ છે, જેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ નાથુસિંહને ધક્કો માર્યો હતો.
આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેના દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. ક્યા કારણોસર બનાવ બન્યો તે માહિતી સામે આવી નથી, તેથી આ અંગે હજી તપાસ ચાલુ છે. પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોસ્ટે પહોચ્યો હતો.

