VIDEO: અમદાવાદ મનપા ચૂંટણી; 28 એપ્રિલે મતગણતરી માટે વહીવટી તંત્ર સજ્જ, સ્ટ્રોંગ રૂમમાં EVM મશીનોની સુરક્ષા વધારાઈ
સોર્સ : GSTV
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે. ૨૬ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી ૨૮ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરની ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મુખ્ય મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન બાદ તમામ EVM મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આ કેન્દ્રો પરના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

