VIDEO: અમદાવાદ: જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શરૂ, કેસરી રંગના ઉપરણાથી પ્રભુની આંખે બંધાયા પાટા!
સોર્સ : gstv
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે. વિશેષ પૂજા-અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના ઉપરણાથી પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. માન્યતા મુજબ મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ મીઠાઈનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આ વિધિ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનના પાટા ખોલવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે

