VIDEO: હાઈકોર્ટના આદેશ બાદ ભદ્ર બજારમાં ફરી લાગ્યા પાથરણા, વેપારીઓના ચહેરા પર દેખાઈ રોનક
સોર્સ : GSTV
અમદાવાદનું ઐતિહાસિક ભદ્ર બજાર લાંબા સમય બાદ ફરી પાથરણાવાળાઓની રોનકથી ધમધમતું થયું છે. હાઈકોર્ટે 11 વર્ષ સુધી સર્વે ન કરવા બદલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી સૂચન આપ્યું છે કે, જ્યાં સુધી સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી પાથરણાવાળાઓને વેપાર કરતા રોકી શકાશે નહીં. દબાણ હટાવવાની કામગીરી બાદ વૈકલ્પિક જગ્યાએ ખસેડાયેલા વેપારીઓ હવે પોતાની મૂળ જગ્યાએ પરત ફરતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

