VIDEO: વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે ૭૬,૦૦૦ દિવડાની મહાઆરતી યોજાશે
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ ખાતે આજે રાત્રે 12 વાગ્યે 76,000 દિવડાઓ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 12ના ટકોરે મહાઆરતીમાં હાજરી આપી PM મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. આ પ્રસંગે 150 Gen Z યુવાનોના નેતૃત્વમાં 5,000 લોકો એકસાથે વંદે માતરમનું ગાન કરશે. દર્શનાર્થીઓને સરળતાથી પહોંચવા માટે AMTS દ્વારા 100 વધારાની બસોની ખાસ વ્યવસ્થા કરાઈ છે.

