VIDEO: ચેન્નાઈમાં ભગવાન ગણેશની અનોખી મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર
તમિલનાડુના ચેન્નાઈમાં ગણેશોત્સવની ભક્તિ વચ્ચે ભગવાન ગણેશની એક અનોખી અને ભવ્ય મૂર્તિ શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચેન્નાઈના કોલાથુર વિસ્તારમાં ભગવાન ગણેશની 40 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. પરંતુ આ મૂર્તિની ખાસિયત તેની બનાવટ છે. સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિ માટી, પ્લાસ્ટર અથવા અન્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીયા ભગવાન ગણેશની મૂર્તિને આશરે 12 હજાર સફેદ શંખોથી સજાવવામાં આવી છે. દૂરથી જોતા આ વિશાળ મૂર્તિ સફેદ રંગની દિવ્ય આભા સાથે જોવા મળે છે. નજીકથી નજર કરતાં તેના શરીર તથા આકાર પર શંખોની અદભૂત કારીગરી જોવા મળે છે.
ગણેશજીની આ વિશાળ પ્રતિમાને તૈયાર કરવા માટે સફેદ શંખોને ખૂબ જ કાળજીપૂર્વક ગોઠવીને મૂર્તિના વિવિધ ભાગોને શણગારવામાં આવ્યા છે. હજારો શંખોને એકસાથે ઉપયોગમાં લેવાના કારણે મૂર્તિમાં વિશેષતા અને ચમક મળી છે. ભગવાન ગણેશના મસ્તકથી લઈને શરીરના અન્ય ભાગો સુધી શંખોની સજાવટ આ મૂર્તિને સામાન્ય ગણેશ પ્રતિમાઓથી અલગ બનાવે છે. ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની ભક્તિ સાથે સર્જનાત્મકતા અને સ્થાનિક કારીગરોની કળાનું પણ આ સ્થળે સુંદર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
40 ફૂટની ઊંચાઈને કારણે આ મૂર્તિ દૂરથી જ નજરે પડે છે. આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો તેના દર્શન માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને સફેદ શંખોથી બનેલી આ અનોખી સજાવટ ભક્તો માટે કુતૂહલનું કારણ બની છે. લોકો મૂર્તિના દર્શન સાથે તેની વિશાળતા અને શંખોની કારીગરીને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી રહ્યા છે. આયોજકો માટે પણ આ મૂર્તિ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નહીં પરંતુ કળા અને પરંપરાને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ છે.
ગણેશોત્સવ દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભગવાન ગણેશની વિશાળ અને થીમ આધારિત મૂર્તિઓ બનાવવાની પરંપરા જોવા મળે છે. પરંતુ 12 હજાર સફેદ શંખોના ઉપયોગથી તૈયાર કરાયેલી આ 40 ફૂટની મૂર્તિ તેની વિશિષ્ટ રચનાને કારણે અલગ ઓળખ બનાવી રહી છે. કોલાથુરમાં ગણેશજીના દર્શન માટે પહોંચતા ભક્તો માટે આ મૂર્તિ ભક્તિ સાથે આશ્ચર્ય અને કારીગરીનો અનુભવ પણ કરાવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભગવાન ગણેશની આ ભવ્ય પ્રતિમા સમગ્ર વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
----- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

