સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના સંબંધમાં આવી ગઈ હતી ખટાશ, લેતા હતા થેરાપિસ્ટની સલાહ

બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંનું એક છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ. પણ શું તમને ખબર છે કે બંનેના લગ્ન પહેલાં ઘણા ઝઘડા થતા હતા? સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જાહેર કર્યું કે લગ્ન પહેલાં ત્રણ વર્ષ સાથે રહ્યા પછી ઝહીર ઇકબાલ સાથેના તેમના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. તેમણે જણાવ્યું કે આ સમસ્યામાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા.
સોનાક્ષીનો ખુલાસો
હાલમાં જ એક પોડકાસ્ટમાં સોનાક્ષીએ કહ્યું કે રિલેશનશિપના ત્રણ વર્ષ પૂરા થયા ત્યારે બંને વચ્ચે ઘણા ઝઘડા થવા લાગ્યા હતા. હસતાં-હસતાં તેમણે કહ્યું, “અમે એટલા ગુસ્સે થતા હતા કે એકબીજાના વાળ ખેંચવા તૈયાર થઈ જતા હતા. કંઈ સમજાતું નહોતું કે સામેવાળો શું ઇચ્છે છે.”
ઝહીરનું સૂચન
આ સમસ્યા હલ કરવા માટે ઝહીરે જાતે જ સૂચવ્યું કે કપલ્સ થેરેપી લઈએ. સોનાક્ષી પણ તૈયાર થઈ ગઈ. માત્ર બે સેશન પછી જ બંને ફરીથી એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. સોનાક્ષીએ કહ્યું, “થેરેપીથી ખબર પડી કે આપણે જે બોલીએ છીએ તેનો મતલબ સમજનાર વ્યક્તિ અલગ લઈ શકે છે. આનાથી અમને ઘણી મદદ મળી અને અમારો સંબંધ ફરીથી પાટા પર આવી ગયો.”
સોનાક્ષીને ક્યારે થયો પ્રેમ?
સોનાક્ષીએ એ પણ જણાવ્યું કે ડેટિંગ શરૂ થયાના માત્ર એક જ અઠવાડિયામાં તે ઝહીરને ‘આઈ લવ યુ’ કહેવાના હતા, પણ ઝહીર તેના મોં પર હસી પડ્યા અને બોલ્યા, “આ તો પાગલ લાગે છે.”
સોનાક્ષી અને ઝહીર વિશે
સોનાક્ષી અને ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. પહેલાં દોસ્તી થઈ, પછી પ્રેમ થયો. સાત વર્ષ સુધી રિલેશનશિપને ગુપ્ત રાખ્યું અને જૂન ૨૦૨૪માં મુંબઈમાં સિવિલ મેરેજ કરી લીધું હતું. ત્યાર બાદ બાસ્ટિયનમાં મોટી રિસેપ્શન પાર્ટી રાખી હતી.

