Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Soha Ali Khan breaks silence on Saif-Kareena's wedding, know what she said

Entertainment: સોહા અલી ખાને સૈફ-કરીનાના લગ્ન અંગે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment: સોહા અલી ખાને સૈફ-કરીનાના લગ્ન અંગે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
સોર્સ : GSTV

અભિનેત્રી સોહા અલી ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણી અને કુણાલ ખેમુના લગ્ન દરમિયાન, "લવ જેહાદ" અને "ઘર વાપસી" જેવી બાબતો પર વાદ-વિવાદો થયા હતા. તેમની માતા શર્મિલા તથા તેમના ભાઈ સૈફ અલી ખાનના લગ્નોમાં પણ આવું જ હતું.

App Store

 

1968માં શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાનના આંતરજાતિય લગ્નએ કેટલાક રૂઢિચુસ્તોને નારાજ કર્યા હતા. પરંતુ 4 દાયકા પછી, જ્યારે તેમના પુત્ર સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા ત્યારે પણ સમાજનો રૂઢિચુસ્ત વર્ગ ગુસ્સે ભરાયો હતો. સૈફ પછી, તેની નાની બહેન સોહા અલી ખાને પણ અભિનેતા કુણાલ ખેમુ સાથે આંતરજાતિય લગ્ન કર્યા હતા.

 

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, સોહા અલી ખાનને કુણાલ ખેમુ સાથેના તેના લગ્નને લઈને થયેલા હોબાળા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણીએ જવાબ આપતા કહ્યું કે કેવી રીતે લોકોએ તેના માટે 'ઘર વાપસી' અને 'લવ જેહાદ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે એ પણ કહ્યું હતું કે 2012માં ભાઈ સૈફ અને કરીનાના લગ્ન દરમિયાન પણ આવો જ હોબાળો થયો હતો.

 

સોહા અલી ખાનના લગ્નમાં શું હોબાળો થયો હતો? 

 

એક યુટ્યુબ ચેનલ પર થયેલી વાતચીતમાં, સોહાને પૂછવામાં આવ્યું કે શું આ હોબાળો તેના સુધી પહોંચ્યો હતો? અભિનેત્રીએ કહ્યું,"મને એવું નથી લાગતું કે, તેને મારા મન સુધી કોઈ અસર પહોચાડી હોય, કારણ કે મને લાગે છે કે જ્યાં સુધી મારા પ્રિયજનો, જેમની હું કાળજી રાખું છું અને જેમનો હું આદર કરું છું, જ્યાં સુધી તેઓ મારી સાથે છે, ત્યાં સુધી માંરા માટે બધું બરાબર છે. ઘણા બધાં નફરત કરનારા પણ હશે અને મારી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પણ ઘણા બધા લોકો હશે, પણ આ બધુ ઠીક છે. હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે મને કોઈ વાંધો નથી. મને લાગે છે કે આમુક બાબતો, જેમ કે આંતરજાતિય લગ્ન... જ્યારે મારા અને કુણાલના લગ્ન થયા, જ્યારે કરીના અને ભાઈના લગ્ન થયાં ત્યારે પણ ઘણી બધી વિચિત્ર વાતો થઈ હતી. લવ જેહાદ, ઘરે પાછા ફરો, બધી પ્રકારની વિચિત્ર હેડલાઇન્સ બનાવમાં આવી હતી. તમે જાણો છો જેમ કે કહેવાય છે ને - તમે અમારું એક લઈ લીધું, હવે અમે તમારું એક લઈશું.''

 

ભૂતકાળ વધુ સ્વતંત્ર હતો.

 

સોહાએ કહ્યું કે ક્યારેક લોકો ફક્ત કહેવા માટે જ કંઈક કરે છે અને તેથી તેઓ તેમના શબ્દોની ગંભીરતા સમજી શકતા નથી. તેણીએ તેના લગ્ન દરમિયાનના આ હોબાળાની તુલના તેના માતા-પિતાને હેરાન કરતાં વિવાદો સાથે કરી. અભિનેત્રીએ કહ્યું કે તે સમય કદાચ "વધુ મુક્ત" હતો. સોહાએ કહ્યું, "મને લાગે છે કે કેટલાક લોકો આ વાતો પર વિશ્વાસ પણ નથી કરતા, પરંતુ લોકો ફક્ત સંવેદના પેદા કરવા માટે વાતો કહે છે... ઘણી રીતે, કદાચ 60ના દશકનો સમય વધુ મુક્ત હતો. અને કેટલીક રીતે, જેમ તમે આખી દુનિયામાં જોઈ શકો છો કે, પહેલા કરતાં આજે લોકો થોડા વધુ ઉગ્રવાદી અને થોડા વધુ સ્વાર્થી બની ગયા છે."

 

શર્મિલાને યાદ કરીને જૂના દિવસો વિષે

 

અગાઉ, ટ્વિંકલ ખન્નાની યુટ્યુબ ચેનલ, ટ્વીક પરની વાતચીતમાં, શર્મિલાએ તેની અને મંસૂરના લગ્ન પહેલાં મળેલી ધમકીઓને યાદ કરતા કહ્યું હતું કે, "ગોળીઓથી ઉડી જશે." અભિનેત્રીએ સમજાવ્યું હતું કે, "મારા પરિવારે ફોર્ટ વિલિયમમાં લગ્નનું આયોજન કર્યું હતું કારણ કે તેઓ ખૂબ જ ચિંતિત હતા કે કંઈક થઈ શકે છે. ઘણી ધમકીઓ પણ મળી હતી, પરંતુ ફોર્ટ વિલિયમ ઓથોરીટી છેલ્લી ઘડીએ પાછળ હટી ગઈ કારણ કે લગ્ન પક્ષના કેટલાક સભ્યો લશ્કરી સંબંધો ધરાવતા હતા. અંતે, તેમને એક રાજદૂત મિત્રનું મોટું ઘર મળ્યું." મંસૂર અને શર્મિલાના લગ્ન 43 વર્ષ ચાલ્યા. અને અંતે મંસૂરનું 2011માં અવસાન થયું.