Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Singer Alka Yagnik expresses pain after receiving Padma Bhushan

VIDEO : પદ્મ ભૂષણ મળ્યા બાદ સિંગર અલ્કા યાજ્ઞિકે વ્યક્ત કર્યું દર્દ, બીમારી વચ્ચે હેલ્થ પર આપ્યું મોટું અપડેટ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિન્દી સિનેમાના પ્રખ્યાત પ્લેબેક સિંગર અલ્કા યાગ્નિક, જેઓ 'સૂરોની મલિકા' તરીકે પણ ઓળખાય છે, તેમણે ચાર દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ પ્લેબેક સિંગિંગની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય સંગીતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ મંગળવાર, 23 જૂન 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં તેમની હાજરીએ ચાહકોમાં તેમની તબિયતને લઈને ચિંતા વધારી દીધી છે, જેના પર સિંગરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી છે.

App Store

પદ્મ ભૂષણ મળ્યા બાદ અલ્કા યાગ્નિકની ઈમોશનલ પોસ્ટ

સોશિયલ મીડિયા પર અલ્કા યાજ્ઞિકે એક ભાવુક નોટ શેર કરી છે, જેમાં તેમણે પોતાનો દર્દ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે આ પ્રતિષ્ઠિત સન્માન માટે આભાર માન્યો અને તાજેતરની સ્વાસ્થ્ય સમસ્યાઓ તથા તેમાંથી સાજા થવાની સફર વિશે ખુલીને વાત કરી. તેમણે લખ્યું..."છેલ્લા બે વર્ષથી હું લાઈમલાઈટ, લોકોની સામે આવવાથી અને મારી સફર વિશે વધુ કંઈ શેર કરવાથી દૂર રહી છું. તમારામાંથી ઘણા લોકો જાણતા હતા કે હું સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છું અને આ સમગ્ર સમય દરમિયાન તમારા પ્રેમ, પ્રાર્થના, મેસેજ અને અતૂટ સમર્થને દરેક પગલે મારો સાથ આપ્યો છે. આજે, જ્યારે હું દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક - પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ લેવા માટે બહાર નીકળી, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું હતું."

પદ્મ ભૂષણ મળવા પર અલ્કા યાગ્નિકે વ્યક્ત કરી ખુશી

આ સિવાય સિંગર અલ્કા યાજ્ઞિકે આ સન્માનને ખૂબ જ નમ્ર કરનારું ગણાવ્યું અને કહ્યું કે ભલે આ એવોર્ડ પર તેમનું નામ હોય, પરંતુ આ એ દરેક શ્રોતાનું છે જેમણે તેમની અવાજને પોતાના જીવનમાં અપનાવી, તેમના ગીતોને પેઢીઓ સુધી પહોંચાડ્યા, સુખ અને મુશ્કેલ સમય બંનેમાં તેમની સાથે ઉભા રહ્યા. તેમણે કહ્યું કે આ ક્ષણ ખાસ કરીને મહત્વ ધરાવે છે, કારણ કે આ માત્ર તેમના કામની ઓળખ નથી દર્શાવતી, પરંતુ પ્રેમ, આશા અને હિંમતથી મળતી તાકાતની યાદ પણ અપાવે છે. 

તેમણે આ ઈમોશનલ નોટમાં આગળ લખ્યું..."હું ધીમે-ધીમે મારી જૂની લય પાછી મેળવી રહી છું અને હું આજે અહીં હાજર રહેવા માંગતી હતી. માત્ર મારા માટે જ નહીં, પરંતુ તમારામાંથી દરેક વ્યક્તિ માટે જેઓ આ સફરનો હિસ્સો રહ્યા છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો પણ દિલથી આભાર માનું છું."

ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અલ્કા યાજ્ઞિકે

વર્ષ 2024માં અલ્કાએ ચાહકોને એ જણાવીને ચોંકાવી દીધા હતા કે તેઓ 'સેન્સરી નર્વ હિયરિંગ લોસ' (Sensory Nerve Hearing Loss) જેવી એક દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, જે વાયરલ ઈન્ફેક્શનના કારણે થઈ હતી. આ કારણોસર તેમણે લાઈમલાઈટથી દૂર રહેવું પડ્યું હતું. અલ્કાનો અવાજ છેલ્લે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'માં સાંભળવા મળ્યો હતો.