"પોતાની ઔકાતમાં રહો.....", પાકિસ્તાન સાથે નામ જોડાતા Javed Akhtar થયા ગુસ્સે, જાણો સમગ્ર મામલો

15 ઓગસ્ટે દરેક દેશભક્ત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ ભારતવાસીઓને આ દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યું અને એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું કે તેમનો સ્વાતંત્ર્ય દિવસ 14 ઓગસ્ટે હોય છે. ત્યારબાદ જાવેદ અખ્તરે તે યુઝરને કડક જવાબ આપીને ફટકાર લગાવી.
જાવેદ અખ્તરનું ટ્વીટ શું હતું?
જાવેદ અખ્તરે લખ્યું હતું, "મારા બધા ભારતીય બહેનો અને ભાઈઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ આઝાદી આપણને થાળીમાં પીરસીને આપવામાં નથી આવી. આજે આપણે એ લોકોને યાદ કરવા જોઈએ અને સલામ કરવું જોઈએ જેઓ આપણને આઝાદી અપાવવા માટે જેલમાં ગયા અને જેઓ ફાંસીએ ચઢી ગયા. ચાલો આપણે ખાતરી કરીએ કે આ અમૂલ્ય ભેટને આપણે ક્યારેય ગુમાવીએ નહીં."
યુઝરની કોમેન્ટ
ગોલમાલ નામના ટ્વિટર હેન્ડલથી કોમેન્ટ કરવામાં આવી, "તમારો સ્વાતંત્ર્ય દિવસ તો 14 ઓગસ્ટે છે ને?" જાવેદે કોમેન્ટ કરતાં લખ્યું, "બેટા, જ્યારે તારા બાપ-દાદા અંગ્રેજોના જૂતા ચાટતા હતા, ત્યારે મારા વડીલો દેશની આઝાદી માટે કાળા પાણીમાં મરી રહ્યા હતા. પોતાની ઔકાતમાં રહો." જાવેદે વધુ એક કોમેન્ટ કરી, "ગદ્દાર એ છે જેઓ અસહયોગ અને ભારત છોડો આંદોલનની વિરુદ્ધ હતા. ગદ્દાર એ છે જેઓએ જેટલું બન્યું તેટલું અંગ્રેજોની મદદ કરી. ગદ્દાર એ છે જેઓ આપણા બંધારણ અને તિરંગાની વિરુદ્ધ હતા. આ શોધી કાઢ કે એ કોણ હતું, તો તારી અજ્ઞાનતા થોડી ઓછી થશે."

