Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Filmmakers don't see beauty in me...', veteran actor's anger erupts over typecasting

'ફિલ્મ મેકર્સને મારામાં સુંદરતા દેખાતી નથી...', ટાઈપકાસ્ટ અંગે દિગ્ગજ અભિનેતાનો ફૂટ્યો ગુસ્સો

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
'ફિલ્મ મેકર્સને મારામાં સુંદરતા દેખાતી નથી...', ટાઈપકાસ્ટ અંગે દિગ્ગજ અભિનેતાનો ફૂટ્યો ગુસ્સો
સોર્સ : GSTV

Manoj Bajpayee: અભિનેતા મનોજ બાજપાઈ તાજેતરમાં તેની રિલીઝ ફિલ્મ 'ઇન્સપેક્ટર ઝેંડે' અને 'જુગનુમા-ધ ફેબલ' ને લઇને ચર્ચામાં છે. હાલમાં જ તેણે એક ઇન્ટવ્યૂમાં નિર્માતા દ્વારા તિલોત્તમા શોમને સતત એક જ સરખી ભૂમિકા મળવાને કારણે નારાજગી વ્યક્ત કરી હતી. મનોજ બાજપાઈએ જણાવ્યું હતું કે નિર્માતા એવું વિચારે છે કે તે માત્ર ખલનાયકની ભૂમિકા જ ભજવી શકે છે. તેમજ મનોજે તેની ફિલ્મ 'જુગનુમા-ધ ફેબલ'માં તેની કો સ્ટાર તિલોત્તમા શોમને મળેલી નોકરાણીની ભૂમિકાને લઈને પણ નિર્માતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. 

App Store

Manoj Bajpayee Has 'Flashes Of Anxiety', Reveals How He Overcomes It: 'Like  A Hungry Tiger...' | Exclusive | Movies News - News18

ટાઈપકાસ્ટ અંગે શું કહ્યું  મનોજ બાજપાઈએ 

અભિનેતા મનોજ બાજપાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,'તિલોત્તમા, મને તો તે બહુજ સુંદર લાગે છે. તેના ચહેરામાં શું સમસ્યા છે? સમજવાની જરૂર છે કે દર વખતે નિર્માતાઓ હંમેશા શા માટે તિલોત્તમા શોમને નોકરાણીની ભૂમિકામાં ટાઈપકાસ્ટ કરે છે.' મોનસૂન વેડિંગ ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર તિલોત્તમા શોમને હવે દરેક ફિલ્મોમાં નોકરાણીની ભૂમિકાઓ ભજવવા માટે જ કાસ્ટ કરવામાં આવે છે. 

નિર્માતાઓની ભૂલ 

તિલોત્તમા શોમ હોય, નવાઝુદ્દીન સિદ્દીકી હોય કે મનોજ બાજપેયી પોતે હોય, કલાકારો કહે છે કે ટાઇપકાસ્ટિંગ એ દિગ્દર્શકનો દોષ છે કારણ કે તેઓ તેમના દ્રષ્ટિકોણનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે અને કલાકારોને દેવતા જેવા બનાવા માંગે છે. તેઓ કહે છે, 'આ દિગ્દર્શકોના મનની મર્યાદા છે. જો તેઓ તેમના મનનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરે, તો હું શું કરી શકું?' અને આ બાબતો ક્યારેય બદલાશે નહીં. લોકો કલાકારોને કેલેન્ડર પર દર્શાવવામાં આવેલા દેવતાઓ તરીકે જોવા માંગે છે. પરંતુ શું તેમને એ જોયું છે કે દેવતાઓ કેવા દેખાય છે?.

દિગ્દર્શકના વિચારોથી નિરાશ નથી મનોજ બાજપેયી 

અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે, હું જેવો દેખાઉ છું એ મારી ભૂલ નથી. જો કોઈ મારી પાસે ફક્ત ખલનાયકની ભૂમિકાઓ લઈને આવે છે તો એ મારી ભૂલ નથી. એ ફિલ્મ નિર્માતા અથવા મને આ ભૂમિકાઓ ઓફર કરનાર વ્યક્તિના દ્રષ્ટિકોણનો અભાવ છે. મારી નજરમાં હું ખૂબ જ સુંદર છું, પરંતુ તેઓ સ્ટીરિયોટાઈપ્સમાં એટલા બંધાયેલા છે કે તેઓ વિચારે છે કે મારા જેવી વ્યક્તિ ફક્ત ખલનાયક જ હોઈ શકે છે. મને મારા વિશેના તેમના વિચારો અપમાનજનક નથી લાગતા. તેના બદલે હું તેમના પર અને ફિલ્મો અને કલાકારો જોવાની તેમની મર્યાદિત ક્ષમતા પર હસી પડું છું. હું ખરેખર સુંદર દેખાઉં છું. બસ એટલું જ કે તેઓ મારામાં તે સુંદરતા જોતા નથી