Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Allu Arjun said he had decided not to do bollywood films

'હું ક્યારેય હિન્દી ફિલ્મો નહીં કરું', 'પુષ્પા 2'ની ઈવેન્ટમાં બોલ્યો અલ્લુ અર્જુન, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2024
લાઇવ ટીવીGoogle News
'હું ક્યારેય હિન્દી ફિલ્મો નહીં કરું', 'પુષ્પા 2'ની ઈવેન્ટમાં બોલ્યો અલ્લુ અર્જુન, જાણો શું છે કારણ

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' માટે ચર્ચામાં છે. તે દરરોજ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેતા 'પુષ્પા 2: ધ રૂલ' ની એક ઈવેન્ટમાં દેખાયો જ્યાં તેણે ખુલાસો કર્યો કે તેણે ક્યારેય હિન્દી ફિલ્મો ન કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્ટરે પોતાના નિર્ણયનું કારણ પણ જણાવ્યું હતું.

App Store

આ પણ વાંચો: સામંથા રૂથ પ્રભુના પિતાનું નિધન, વાયરલ થઈ એક્ટ્રેસની ઈમોશનલ પોસ્ટ

ઇવેન્ટ દરમિયાન અલ્લુ અર્જુને 'પુષ્પાઃ ધ રાઈઝ'ના મ્યુઝિક ડાયરેક્ટર દેવી શ્રી પ્રસાદ વિશે વાત કરી. આ ફિલ્મ માટે દેવી શ્રીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ અંગે ચર્ચા કરતા અલ્લુ અર્જુને કહ્યું- 'અમે બંને ચેન્નાઈના છીએ. હું તેમને કહેતો હતો કે મારા માટે હિન્દી ફિલ્મો કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેમના માટે મ્યુઝિક ડાયરેક્ટર તરીકે હિન્દી ફિલ્મો કરવી સરળ છે.'

'હું ક્યારેય હિન્દી ફિલ્મ નહીં કરું...'

પુષ્પા 2 એક્ટર આગળ કહે છે- 'મેં તેમને (દેવી શ્રી પ્રસાદ) પૂછ્યું કે તેઓ હિન્દી ફિલ્મો કેમ નથી કરતા. તો તેમણે જવાબ આપ્યો કે ના, તમે હિન્દી ફિલ્મ કેમ નથી કરતા. તમે હિન્દી ફિલ્મ કરશો તો તમારી સાથે હું પણ હિન્દી ફિલ્મ કરીશ. પરંતુ મેં કહ્યું કે હું ક્યારેય હિન્દી ફિલ્મ નહીં કરું, કારણ કે તે સમયે હિન્દી ફિલ્મ કરવી ખૂબ મુશ્કેલ હતી.'

અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડ જીતવાની વાત કરી 

અલ્લુ અર્જુને આગળ કહ્યું, 'હિન્દી ફિલ્મ કરવી એ મોટી વાત હતી. કદાચ અમે અમારા જીવનમાં એક-બે હિન્દી ફિલ્મો કરી શકીએ. હિન્દી ફિલ્મો કરવી એ અમારા માટે બહુ દૂરની વાત હતી. એ વિચારથી અહીં સુધી આવવું અને અહીં ઊભું રહેવું એ મારા માટે મોટી વાત છે. અમે બંનેએ નેશનલ એવોર્ડ જીત્યા અને એક જ ફિલ્મ માટે નેશનલ સુપરહિટ આલ્બમ આપ્યો. આ અમારી પાસે અત્યાર સુધીની સૌથી કિંમતી વસ્તુ છે.'

'પુષ્પા 2: ધ રૂલ' ક્યારે રિલીઝ થશે

'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ આ વર્ષે 5 ડિસેમ્બરે થિયેટરમાં આવશે. અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ પણ ફિલ્મનો એક ભાગ છે.