Photo/ Aamir Khan 25 વર્ષ પછી તેના જૂના મિત્રને મળ્યો, બંનેએ 'લગાન'માં સાથે કર્યું હતું કામ

સુપરસ્ટાર આમિર ખાને તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને તેની યૂટ્યૂબ ચેનલ 'આમિર ખાન ટોકીઝ: જનતા કા થિયેટર' પર રિલીઝ કરી છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે અભિનેતા એક એવા ગામમાં ગયા હતા જ્યાં સાથે તેમનો ખૂબ જ ગાઢ સંબંધ છે. વર્ષ 2001માં આમિરની ફિલ્મ 'લગાન' રિલીઝ થઈ હતી, જેને વિશ્વભરમાં ખૂબ પ્રશંસા મળી હતી. આ ફિલ્મ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી. અભિનેતાની આ ફિલ્મ ગુજરાતના ભુજ નજીક આવેલા કુનારિયા ગામમાં શૂટ કરવામાં આવી હતી. હવે આમિર લગભગ 25 વર્ષ બાદ આ જ ગામમાં ફરીથી ગયા હતા. તેમણે આખા ગામના લોકો માટે તેમની ફિલ્મ 'સિતારે ઝમીન પર'નું ખાસ સ્ક્રીનિંગ યોજ્યું હતું.

કોણ છે દાનાભાઈ?
અભિનેતા ગુજરાતના ભૂજની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ તેમના જૂના મિત્ર દાનાભાઈને મળ્યા, જેમણે ફિલ્મ 'લગાન' દરમિયાન તેમને મદદ કરી હતી. દાનાભાઈ એ જ વ્યક્તિ છે જેમણે બે દાયકા પહેલા તેમની જમીન પર 'લગાન'નો સેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભુજ નજીકના કોટાઈ ગામના નજીકના મિત્ર દાના ભાઈએ 'લગાન' ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને ટેકો આપ્યો હતો, જેનાથી પરિવાર જેવો સબંધ બની ગયો હતો. આમિર દાનાભાઈના પરિવારને મળ્યા અને તેમની સાથે જૂની યાદો શેર કરી અને પારિવારિક વાતાવરણમાં ભોજનનો આનંદ માણ્યો. ફિલ્મ સમયની યાદો તાજી કરી હતી. આમિર ખાન કોટાય ગામમાં બે કલાકથી પણ વધુ સમય સુધી રોકાયા હતા. તેઓએ બાળકો સાથે નીચે બેસીને ફિલ્મને માણી હતી.

2024માં માર્ગ અકસ્માતમાં દાનાભાઈની પુત્રીના દુ:ખદ અવસાન બાદ મહાવીર ચડના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપવા અને ટેકો આપવા માટે આમિર ખાન કચ્છ પહોંચી ગયા હતા. પોતાની યોજનાઓમાં ફેરફાર કરીને, આમિર પોતાના મિત્રની પડખે ઊભા રહેવા માંગતા હતા.

