Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aamir Khan returned to the village of 'Lagaan' after 25 years, this was the special reason

Video/ 'Lagaan'માં બતાવેલ ગુજરાતના આ ગામમાં 25 વર્ષ બાદ પાછો ફર્યો Aamir Khan, લોકોને આપી સરપ્રાઇઝ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુપરસ્ટાર આમિર ખાને તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને તેની યૂટ્યૂબ ચેનલ 'આમિર ખાન ટોકીઝ: જનતા કા થિયેટર' પર રિલીઝ કરી છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે અભિનેતા એક એવા ગામમાં ગયા હતા જ્યાં સાથે તેમનો ખૂબ જ ગાઢ સંબંધ છે.

App Store

આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' લગભગ દોઢ મહિના થિયેટરોમાં ચાલ્યા બાદ આજે યૂટ્યૂબ પર રિલીઝ થઈ છે. તેમના ચાહકો આ પ્રસંગની આતુરતાથી રાહ જોતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સુપરસ્ટાર આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન પણ કરી રહ્યા હતા. હવે તેઓ તેમની ફિલ્મના સ્ક્રીનિંગ માટે એક એવા ગામમાં ગયા હતા જ્યાં સાથે તેમનો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે.

આમિર ખાન કયા ગામમાં ગયા હતા?

વર્ષ 2001માં આમિરની ફિલ્મ 'લગાન' રિલીઝ થઈ હતી, જેને વિશ્વભરમાં ખૂબ પ્રશંસા મળી હતી. આ ફિલ્મ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી. અભિનેતાની આ ફિલ્મ ગુજરાતના ભુજ નજીક આવેલા કુનારિયા ગામમાં શૂટ કરવામાં આવી હતી. હવે આમિર લગભગ 25 વર્ષ બાદ આ જ ગામમાં ફરીથી ગયા હતા. તેમણે આખા ગામના લોકો માટે તેમની ફિલ્મ 'સિતારે ઝમીન પર'નું ખાસ સ્ક્રીનિંગ યોજ્યું હતું.

આમિર ખાન 'લગાન'વાળા ગામમાં કેમ ગયા હતા?

આમિર તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને વધુ ને વધુ લોકો સુધી લઈ જવા માગે છે. તેથી તેમણે 'લગાન' વાળા ગામમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજવાનું નક્કી કર્યું જેથી તેઓ સિનેમાને વધુ લોકોની નજીક પહોંચાડી શકે. આમિરે આ જ કારણે 'સિતારે ઝમીન પર'ને યૂટ્યૂબ પર પણ રિલીઝ કરી હતી.

કુનારિયા ગામને લોકો 'લગાન' ફિલ્મ માટે જ યાદ રાખે છે. ગામના લોકોએ પણ આમિરનું ધામધૂમથી સ્વાગત કરવાની તૈયારી કરી હતી. જણાવી દઈએ કે આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' અભિનેતાની યૂટ્યૂબ ચેનલ 'આમિર ખાન ટોકીઝ: જનતા કા થિયેટર' પર રિલીઝ થઈ છે. દર્શકો આ ફિલ્મને માત્ર 100 રૂપિયામાં એક વખત જોઈ શકે છે.

'સિતારે જમીન પર' બાદ આમિર ખાન કઈ ફિલ્મોમાં જોવા મળશે?

આમિર ખાન લગભગ 3 વર્ષ બાદ થિયેટરોમાં પરત ફર્યા હતા. હવે તેઓ થોડા દિવસો બાદ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી'માં કેમિયો કરતા જોવા મળશે. ત્યારબાદ તેઓ રાજકુમાર હિરાણી સાથે દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરશે. આમિર આ પછી લોકેશ કનગરાજ સાથે એક મોટા પાયે એક્શન ફિલ્મ પણ કરવાના છે, જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ત્રણ ફિલ્મો ઉપરાંત સુપરસ્ટાર 'મહાભારત' પર પણ કામ શરૂ કરશે.