Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aamir Khan used to drink a whole bottle of liquor every day, his wife and children had left the house!

VIDEO: રોજ આખી બોટલ દારુ ઢિંચતો હતો Aamir Khan, પત્ની-બાળકોએ છોડી દીધુ હતું ઘર! 

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Aamir Khan: બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને તાજેતરમાં જ પોતાની જિંદગીના એક અત્યંત મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી છે, જ્યારે  દારૂનો વ્યસની બની ગયો હતો. જાણો તેમણે શું કહ્યું.

App Store

ફિલ્મોમાં 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતો આમિર ખાનના જીવનમાં એક એવો વળાંક આવ્યો હતો, જ્યારે તેણે દારૂનો સહારો લેવો પડ્યો હતો. તે દારૂનો એટલો આદિ થઈ ગયો હતો કે એક વર્ષથી વધુ સમય સુધી તેણે દરરોજ દારૂ પીધો હતો. 

જ્યારે અંદરથી તૂટી ગયો હતો આમિર...

આમિર ખાને જણાવ્યું કે જ્યારે તેની પહેલી પત્ની રીના દત્તા તેનાથી અલગ થઈને બાળકો સાથે ઘર છોડીને ચાલી ગઈ, ત્યારે તે અંદરથી પૂરી રીતે તૂટી ગયો હતો. તાજેતરમાં એક પોડકાસ્ટમાં આમિરે જણાવ્યું કે તે પહેલા બિલકુલ દારૂ નહોતો પીતો. પરંતુ છૂટાછેડા પછી તે એટલો દુઃખી થઈ ગયો કે તેણે દારૂનો સહારો લેવો પડ્યો.

આમિરે કહ્યું, 'હું પહેલા ક્યારેય દારૂ પીતો નહોતો. પરંતુ જે દિવસે રીના બાળકોને લઈને ઘર છોડીને ગઈ, તે દિવસે હું એકલો પડી ગયો અને પોતાની લાગણીઓને સંભાળી ન શક્યો. તે જ રાત્રે મેં દારૂ પીવાનું શરૂ કર્યું.'

દોઢ વર્ષ સુધી ચાલ્યો દારૂ પીવાનો સિલસિલો

તેણે આગળ જણાવ્યું, 'ત્યારબાદ લગભગ દોઢ વર્ષ સુધી હું લગભગ દરરોજ રાત્રે એક આખી બોટલ પીતો હતો. જે વ્યક્તિ ક્યારેય દારૂ નહોતો પીતો, તેના માટે આ ઘણો મોટો ફેરફાર હતો.' આમિરની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે તે કેટલા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. જોકે, બાદમાં તેણે પોતાની જાતને સંભાળી અને જિંદગીને ફરી પાટા પર લાવી.

આમિર ખાનની લવ-લાઇફ

તમને જણાવી દઈએ કે આમિર ખાન અને રીના દત્તાના લગ્ન 1986માં થયા હતા અને 2002માં બંને અલગ થઈ ગયા હતા. તેમને બે બાળકો છે- જુનૈદ અને ઇરા. આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે 2005માં કર્યા હતા, ત્યારબાદ તેઓ પણ 2021માં અલગ થઈ ગયા હતા. હવે બંને સાથે મળીને તેમના પુત્ર આઝાદની સંભાળ રાખી રહ્યા છે.