ભાવ વધ્યા છતાં સોનું વેચવામાં રસ નહીં! ગોલ્ડ લોન અને ભાવ વધવાની આશાએ બદલાઈ ભારતીયોની રણનીતિ

ગયા વર્ષની સરખામણીમાં સોનાના ભાવમાં લગભગ 60 ટકાનો વધારો થયો હોવા છતાં, ભારતીયોએ તેમનું જૂનું સોનું વેચવામાં બહુ ઓછો રસ દાખવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં જૂના સોનાનું વેચાણ ઘટીને માત્ર 19 ટન થઈ ગયું હતું. આ આંકડો છેલ્લા 11 ત્રિમાસિક ગાળા—એટલે કે લગભગ ત્રણ વર્ષ—માં સૌથી નીચો સ્તર દર્શાવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, સોનાના ભાવ આટલા ઊંચા હોવા છતાં લોકો તેનો લાભ લેવા માટે તેને કેમ વેચી રહ્યા નથી?
સૌથી પહેલા જાણી લો શું હોય છે ગોલ્ડ રિસાયકલિંગ...ગોલ્ડ રિસાયકલિંગ (Gold Recycling) એટલે કે તમારી પાસે રહેલા જૂના સોનાને પૈસાના બદલામાં વેચી દેવું. ભારતમાં આમાં જૂના દાગીના, સિક્કા અને સોનામાંથી બનેલી બીજી વસ્તુઓ સામેલ હોઈ શકે છે. લોકો આ વસ્તુઓ જ્વેલર્સ અથવા બજારમાં હાજર અન્ય ખરીદદારોને વેચે છે. ત્યારબાદ આ સોનાને ફરીથી ઓગાળીને તૈયાર કરવામાં આવે છે અને તે ફરીથી બજારના સપ્લાયમાં જોડાઈ જાય છે. તેનો ઉપયોગ સોનાના નવા દાગીના બનાવવામાં કરી શકાય છે. ગોલ્ડ રિસાયકલિંગ અને ગોલ્ડ એક્સચેન્જ બંને અલગ-અલગ બાબતો છે. જો કોઈ વ્યક્તિ પોતાનો જૂનો હાર જ્વેલરને આપે છે અને તેની કિંમતના બદલામાં નવો દાગીનો ખરીદે છે, તો તેને દાગીનાની અદલાબદલી એટલે કે ગોલ્ડ એક્સચેન્જ માનવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની સોનાની સપ્લાયની ગણતરીમાં આને જૂના સોનાનું વેચાણ ગણતરીમાં લેવામાં આવતું નથી. એટલે કે જૂના દાગીના વેચીને રોકડા પૈસા લેવા અને જૂના દાગીના આપીને નવો દાગીનો ખરીદવો એ બંને અલગ-અલગ રીતો છે.
સોનું 60 ટકા મોંઘું, છતાં ભારતીયો કેમ વેચી નથી રહ્યા?
શું લોકો સોનાના ભાવ હજુ વધવાની રાહ જોઈ રહ્યા છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે અંદાજે 60 ટકાનો વધારો થયો છે, પરંતુ આમ છતાં લોકો સોનું વેચી રહ્યા નથી. આ બાબત એ તરફ ઈશારો કરે છે કે સોનું રાખનારા લોકો ભાવને લઈને સકારાત્મક (આશાવાદી) છે. એવું બની શકે કે લોકોને લાગતું હોય કે સોનાના ભાવ ભવિષ્યમાં હજુ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં, તેઓ અત્યારે સોનું વેચીને પૈસા લેવાને બદલે તેને પોતાની પાસે રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
શું સોનું વેચવાને બદલે તેના પર ગોલ્ડ લોન લેવામાં આવી રહી છે?
હા. સોનાના બદલામાં લોન લેવી એ પણ ઘરમાં રાખેલા સોનામાંથી પૈસા મેળવવાનો એક રસ્તો બની ગયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, મે 2026ના અંતમાં બેંકોની રિટેલ ગોલ્ડ લોન અંદાજે 5.1 લાખ કરોડ રૂપિયા હતી. આ એક વર્ષ પહેલાની સરખામણીમાં 105 ટકા વધુ છે. બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓની ગોલ્ડ લોન અંદાજે 3.3 લાખ કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા કરતાં 70 ટકા વધુ છે. એટલે કે લોકો સોનું વેચવાને બદલે તેને ગીરો મૂકીને પૈસા મેળવી રહ્યા છે.
સોના પર લોન લેવાનો ટ્રેન્ડ કેમ વધ્યો?
માર્ચ 2026 સુધી બેંકોમાં સોનાની કિંમત સામે લોનનું પ્રમાણ (લોન-ટુ-વેલ્યુ રેશિયો) અંદાજે 55 ટકા અને બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં અંદાજે 60 ટકા હતું. આનાથી સોનાના ભાવમાં ઘટાડો થાય તો પણ એક સુરક્ષા માર્જિન (સેફ્ટી નેટ) જળવાઈ રહ્યું હતું. જો કે, જો સોનાની કિંમતમાં સતત ઘટાડો થાય છે તો આ તફાવત ઘટી શકે છે અને લોન ભરપાઈ કરવામાં મુશ્કેલીનું જોખમ વધી શકે છે.
શું ભારતીયો હવે વિચારી-સમજીને સોનું ખરીદી રહ્યા છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ખરીદદારો હવે કિંમત, ડિસ્કાઉન્ટ, જૂના દાગીના બદલવાની ઓફર અને પેમેન્ટના વિકલ્પોની સરખામણી કરીને ખરીદી કરી રહ્યા છે. એટલે કે ખરીદી કરતી વખતે પૈસાનું પૂરું વળતર એટલે કે વેલ્યુ ફોર મની મેળવવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સોના પર લોન લેવાનો ટ્રેન્ડ કેમ વધ્યો?
માર્ચ 2026 સુધી બેંકોમાં સોનાની કિંમત સામે લોનનું પ્રમાણ અંદાજે 55 ટકા અને બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં અંદાજે 60 ટકા હતું. આનાથી સોનાના ભાવમાં ઘટાડો થાય તો પણ એક સુરક્ષા માર્જિન જળવાઈ રહ્યું હતું. જો કે, જો સોનાની કિંમતમાં સતત ઘટાડો થાય છે તો આ તફાવત ઘટી શકે છે અને લોન ભરપાઈ કરવામાં મુશ્કેલીનું જોખમ વધી શકે છે.
શું ભારતીયો હવે વિચારી-સમજીને સોનું ખરીદી રહ્યા છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ખરીદદારો હવે કિંમત, ડિસ્કાઉન્ટ, જૂના દાગીના બદલવાની ઓફર અને પેમેન્ટના વિકલ્પોની સરખામણી કરીને ખરીદી કરી રહ્યા છે. એટલે કે ખરીદી કરતી વખતે પૈસાનું પૂરું વળતર મેળવવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં સોનાનો સપ્લાય કેમ ઘટી ગયો? એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) ભારતનો સોનાનો કુલ સપ્લાય ઘટીને 120 ટન રહી ગયો. આ છ વર્ષનું સૌથી નીચું સ્તર હતું. આ સમયગાળા દરમિયાન સોનાના શુદ્ધ બિસ્કિટ (બાર્સ) ની આયાત 98 ટન રહી હતી. આ એક વર્ષ પહેલાની સરખામણીમાં 22 ટકા ઓછી અને અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 53 ટકા ઓછી હતી. એપ્રિલમાં અક્ષય તૃતીયાની માંગને કારણે આયાત પ્રમાણમાં મજબૂત રહી હતી. પરંતુ ઊંચી આયાત ડ્યુટી (કસ્ટમ્સ ડ્યુટી) લાગુ થયા પછી મે અને જૂનમાં આયાત ધીમી પડી ગઈ હતી.
શું આનો અર્થ એ છે કે બજારમાં સોનાની અછત છે?
ના. અહેવાલ મુજબ, ઓછી સપ્લાયનો અર્થ સ્થાનિક બજારમાં સોનાની અછત હોવો એવો નથી. ઓછી માંગને કારણે આયાતની જરૂરિયાત ઓછી રહી હતી. બીજી તરફ ઉદ્યોગ પાસે રહેલો સોનાનો સ્ટોક અને જૂના સોનાના વેચાણમાંથી મળેલું સોનું માંગ પૂરી કરવામાં મદદ કરતું રહ્યું. બીજા ક્વાર્ટરની કુલ સપ્લાયમાં જૂના સોનાના વેચાણનો હિસ્સો 116 ટકા, આયાતનો 82 ટકા અને સ્થાનિક ખાણોમાંથી થતા ઉત્પાદનનો હિસ્સો 2 ટકા રહ્યો હતો.
જૂના સોનાનું વેચાણ ઘટવાથી શું ખબર પડે છે?
જૂના સોનાના વેચાણમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે માત્ર ભાવ વધવાને કારણે ભારતીયો પોતાનું સોનું વેચવા તૈયાર નથી થઈ રહ્યા. લોકો પોતાના સોનામાંથી પૈસા મેળવવાના અન્ય રસ્તાઓ અપનાવી રહ્યા છે. કેટલાક લોકો જૂના દાગીના બદલીને નવા દાગીના લઈ રહ્યા છે, તો કેટલાક સોનું ગીરો મૂકીને લોન લઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો લાંબા ગાળા માટે સોનું પોતાની પાસે રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

