વિક્રમ સંવત 2080માં સોનાએ આપ્યું શાનદાર રિટર્ન, રોકાણકારોએ કરી 32 ટકા સુધીની કમાણી

વિક્રમ સંવત 2080 એ ભારતીય શેરબજાર માટે શ્રેષ્ઠ વર્ષ હતું અને આ સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 128 લાખ કરોડ ($1.5 ટ્રિલિયન) વધીને રૂ. 453 લાખ કરોડ થઈ હતી. વિક્રમ સંવત 2080માં સોના-ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સોનાએ લગભગ 32 ટકા અને ચાંદીએ લગભગ 39 ટકા વળતર આપ્યું છે. વિક્રમ સંવત 2080 સંપત્તિમાં વૃદ્ધિની દ્રષ્ટિએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. તેનું કારણ સ્થાનિક રોકાણકારો દ્વારા રૂ. 4.7 લાખ કરોડનું રોકાણ છે.
આ પણ વાંચોઃ- UPIના નિયમોમાં થયો ફેરફાર, જો ઓનલાઇન પેમેન્ટ કરો છો તો પહેલા જાણી લો આ નવા નિયમ
શું કહે છે બજાર નિષ્ણાતો?
બજાર નિષ્ણાતોના મતે વિક્રમ સંવત 2080માં નિફ્ટીએ 25 ટકા અને નિફ્ટી 500એ 30 ટકા વળતર આપ્યું છે. જોકે, ઓક્ટોબરમાં શેરબજારમાં 6.2 ટકાનો ઘટાડો થયો છે, જે 54 મહિનામાં પહેલી વખત 5 ટકાથી ઉપર ગગડ્યો છે. તેનાથી બજારની ચિંતા વધી ગઈ છે.
NSE પર રોકાણકારોની સંખ્યા વધીને 20 કરોડ થઈ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં રોકાણકારોની સંખ્યા વધીને 20 કરોડ થઈ ગઈ છે. વિક્રમ સંવત 2080માં 336 કંપનીઓ લિસ્ટેડ હતી, જેમાંથી 248 કંપનીઓ SME સેગમેન્ટની હતી. ઉદ્યોગના ડેટા અનુસાર, લગભગ 100 કંપનીઓના IPO 50 ટકાથી વધુ વૃદ્ધિ સાથે લિસ્ટ થયા છે અને 163 કરતાં વધુ IPO ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરની કુલ સંપત્તિ રૂ. 68 લાખ કરોડની આસપાસ પહોંચી છે, જેમાંથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ રૂ. 25,000 કરોડની આસપાસ હતું.
શેરબજારમાં વધી રોકાણકારોની સંખ્યામાં
શેરબજારમાં રોકાણકારોની સંખ્યાના સંદર્ભમાં ઉત્સાહજનક આંકડાઓ સતત આવી રહ્યા છે. તેના આધારે કહી શકાય કે, ભવિષ્યમાં શેરબજારમાં રોકાણકારોની ભાગીદારી વધુ પ્રબળ બની શકે છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે આ સારો સમય હોવાનું કહેવાય છે અને દેશમાં ડીમેટ ખાતાધારકોની સતત વધતી સંખ્યા આના પુરાવા તરીકે જોઈ શકાય છે.

