CRISILSએ ભારતના ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથ અનુમાન વધારી 7 ટકા કર્યો, જાણો તેની પાછળના કારણો

CRISILએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના જીડીપી ગ્રોથનો અનુમાન 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. આ નિર્ણય પ્રથમ છ માસિકમાં અપેક્ષા કરતાં વધુ 8 ટકા જીડીપી ગ્રોથ પછી લેવામાં આવ્યો છે. CRISILના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે બીજા ત્રિમાસિકમાં ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.2 ટકા રહ્યો છે. જે અનુમાનથી વધુ છે. જો કે, ફુગાામાં નરમીને લીધે ચાલુ કિમતો પર જીડીપી વૃદ્ધિ 8.7 ટકા રહ્યો છે. અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે, પ્રથમ છ માસિકમાં 8 ટકા વૃદ્ધિ છે. અને બીજા છ માસિકમાં અમેરિકા ટેરિફ વધવાની અસરથી વૃદ્ધિના 6.1 ટકા રહેવાની આશા છે.
ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ
ક્રિસિલના મતે, ખાનગી વપરાશ ઉચ્ચ વાસ્તવિક GDP વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ હતું. પુરવઠા બાજુથી, ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધપાત્ર રીતે ઝડપી બની. જોશીએ જણાવ્યું હતું કે ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાથી દેશમાં વિવેકાધીન ખર્ચમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ અનુકૂળ પરિબળો ત્રીજા ક્વાર્ટરમાં લાભ મેળવતા રહેશે. સરકારી રોકાણ સ્થિર રહેવાની અપેક્ષા છે, જ્યારે ખાનગી રોકાણ મોડેથી વધી શકે છે.
જુલાઈ-સપ્ટેમ્બર વૃદ્ધિ છેલ્લા 6 ક્વાર્ટરમાં સૌથી વધુ
ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 8.2 ટકાના દરે વધ્યું, જે છેલ્લા છ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ 5.6 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ 7.8 ટકા હતી. GDPએ ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની સરહદોમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યનો ઉલ્લેખ કરે છે.
નિષ્ણાતો શું કહે છે
નિષ્ણાતોના મતે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકાનો GDP વૃદ્ધિદર મજબૂત સ્થાનિક માંગ, મજબૂત સેવાઓ નિકાસ અને ઓછા ફુગાવાને કારણે શક્ય બન્યો છે. તેમણે કહ્યું કે આ પ્રદર્શન ભારતની મજબૂત આર્થિક સંભાવનાને પ્રતિબિંબિત કરે છે.

