Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Government will be strict on vehicle mileage! Will CAFE-3 rule be implemented?

Auto/ ગાડીઓની માઈલેજ અંગે સરકાર થશે કડક! શું CAFE-3નો નિયમ કરાશે લાગુ? PMO મોકલાયો પ્રસ્તાવ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Auto/ ગાડીઓની માઈલેજ અંગે સરકાર થશે કડક! શું CAFE-3નો નિયમ કરાશે લાગુ? PMO મોકલાયો પ્રસ્તાવ
સોર્સ : GSTV

દેશમાં ગાડીઓના ફ્યુઅલ (ઈંધણ) નિયમોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર હવે વાહનોની માઇલેજ અને કાર્બન ઉત્સર્જનના નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં છે. મિનિસ્ટ્રી ઓફ પાવરે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી (CAFE-3) નિયમોનો પ્રસ્તાવ મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મોકલી આપ્યો છે. આ પગલાને ઓટો સેક્ટરમાં મોટા ફેરફારની શરૂઆત માનવામાં આવી રહી છે.

App Store

ઉદ્યોગ મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ બુધવારે FICCI દ્વારા આયોજિત ઇલેક્ટ્રિક વાહનોની નેશનલ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંત્રાલયે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રસ્તાવ PMOને મોકલ્યો છે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં. તેમણે એ પણ નથી જણાવ્યું કે નાના વાહનોને રાહત આપતો જૂનો ડ્રાફ્ટ જ મોકલવામાં આવ્યો છે કે તેમાં કોઈ સુધારો કરાયો છે.

શું છે CAFE-3 નિયમ?

CAFE-3 નિયમોનો હેતુ પેસેન્જર વ્હીકલની ફ્યુઅલ એફિશિયન્સી એટલે કે માઇલેજમાં સુધારો લાવવો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે. અત્યાર સુધી CAFE-3ના બે ડ્રાફ્ટ સામે આવી ચૂક્યા છે અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં તેના પર સતત ચર્ચા ચાલી રહી છે. CAFE નિયમ હેઠળ, સરકાર દરેક વાહન ઉત્પાદક કંપનીના સમગ્ર ફ્લીટ (તમામ મોડલ્સ) માટે સરેરાશ ફ્યુઅલ એફિશિયન્સીનો એક લઘુત્તમ ટાર્ગેટ નક્કી કરે છે. આ સાથે કાર્બન ડાયોક્સાઈડ (CO_2) ઉત્સર્જનની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે. આ નિયમ કોઈ એક ચોક્કસ મોડલ પર નહીં, પરંતુ કંપની દ્વારા વેચવામાં આવેલી તમામ ગાડીઓની સરેરાશના આધારે લાગુ પડે છે.

સપ્ટેમ્બર 2025માં બહાર પાડવામાં આવેલા બીજા ડ્રાફ્ટમાં એપ્રિલ 2027થી સરેરાશ CO_2 ઉત્સર્જનને વધુ કડક કરવાનો પ્રસ્તાવ હતો. સાથે જ નાની પેટ્રોલ કારોને થોડી રાહત આપવાની વાત પણ કરવામાં આવી હતી. 4 મીટરથી ઓછી લંબાઈ, 1200 CC સુધીનું એન્જિન અને 909 કિલોગ્રામ સુધીનું વજન ધરાવતી ગાડીઓને ગણતરીમાં પ્રતિ કિલોમીટર 3 ગ્રામ CO_2ની વધારાની છૂટ મળી શકતી હતી.

નાની કારોને રાહત આપવા બાબતે વિવાદ

ડ્રાફ્ટમાં નાની કારોને રાહત આપવાની વાત પર ઇન્ડસ્ટ્રીમાં મોટો વિવાદ શરૂ થયો હતો. એવી કંપનીઓ કે જેમના પોર્ટફોલિયોમાં SUV અને MPV જેવી મોટી ગાડીઓ વધુ છે, તેમણે આનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે આ પ્રસ્તાવ માત્ર મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે જ ફાયદાકારક છે. અહેવાલો મુજબ, બાદમાં ડ્રાફ્ટમાં ફેરફાર કરીને નાની કારોને મળતી કેટલીક રાહતો હટાવી દેવામાં આવી છે.

મોંઘી થઈ શકે છે કાર

કડક નિયમોને કારણે ખાસ કરીને એન્ટ્રી લેવલની પેટ્રોલ કારોની પડતર કિંમત વધી શકે છે. કંપનીઓએ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરવા માટે નવી ટેકનોલોજી પર કામ કરવું પડશે, જેની સીધી અસર કારની કિંમતો પર પડશે. જોકે, નિષ્ણાતો માને છે કે આનાથી લોકો હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ ઝડપથી વળશે.

અત્યાર સુધી 28 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા

એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું છે કે PM E-DRIVE સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં દેશમાં 28 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચાઈ ચૂક્યા છે. જેમાં:

  • 20 લાખથી વધુ: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર.

  • 3 લાખ જેટલા: ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર.

  • 14 હજારથી વધુ: ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી છે.