સંબંધમાં જયારે જૂઠું અને દગો આવે ત્યારે ખોટ પડવા લાગે ત્યારે એને સંભાળવું મુશ્કેલ થઇ જાય છે. ખાસ કરીને તે દગો જયારે આપણા હ્ર્દયના સૌથી નજીકના વ્યક્તિએ કર્યો હોય. એક અંગ્રેજી વેબસાઈટ રિલેશનશિપ પોર્ટલમાં એક મહિલાએ પોતાના જીવન સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો છે.
મહિલાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા લખ્યું, ’10 વર્ષ પહેલા જયારે મારા પતિએ મારી સાથે દગો કર્યો ત્યારથી જ હું એને પસંદ કરતી નથી. પરંતુ આજે પણ મને પોતાની સાથે સુવા માટે મજબુર કરે છે.’

મહિલાએ આગળ જણાવ્યું, ‘મારા પતિની પહેલી પત્ની અને એમના બાળકે એને છોડીને જતા રહ્યા હતા. ત્યારથી જ મે એના સમગ્ર પરિવારની જવાબદારી લીધી હતી. પરંતુ મને ખબર ન હતી કે તે વ્યક્તિ એક દિવસ મારી સાથે દગો કરશે.’
મહિલાએ લખ્યું, ‘મારી ઉમર 42 વર્ષ છે અને મારા પતિ 45 વર્ષ છે. એમના બાળક મારી નાની દુનિયા છે. તેઓ જાણે છે કે એમણે મારી સાથે દગો કર્યો છે, હું એમને પાછા લઇ આવી, કારણ કે મને બાળકોની ખુબ ચિંતા છે જો તેઓ ના હોત તો હું ખુબ પહેલા એમને છોડીને જતી રહી હોત.’

‘પણ હવે હું તેને સહન કરી શકતી નથી. તે હજુ પણ મને સેક્સ કરવા માટે પરેશાન કરે છે. જ્યારે પણ હું તેની પાસેથી પસાર થાઉં છું ત્યારે તે અશ્લીલ કૃત્યો કરવાનો પ્રયત્ન કરે છે. તે હજુ પણ નથી સમજતો કે આપણો સંબંધ પહેલા જેવા નથી.એ સમય ગયો.
રિલેશનશિપ એક્સપર્ટે આપી આવી સલાહ
મહિલાની દર્દનાક કહાની સાંભળ્યા બાદ સંબંધ નિષ્ણાંતે કહ્યું, ‘તમે આ ઈર્ષ્યાને લાંબા સમય સુધી તમારી અંદર રાખી છે. તેણે તમારી સાથે છેતરપિંડી ન કરવી જોઈએ. પણ મને ચિંતા છે કે હવે આ સંબંધમાંથી તમને શું મળી રહ્યું છે.

‘તમે મને કહ્યું કે તમે તેને હવે પસંદ નથી કરતા. પરંતુ શું તમે હજી પણ તેને પ્રેમ કરો છો? જો તમે ખરેખર તેમને પ્રેમ કરો છો તો તમારે તમારા સંબંધને બચાવવા માટે લડવું જોઈએ. સંબંધ નિષ્ણાંતે સૂચન કરતા કહ્યું, ‘તમારે યોગ્ય સમય જોયા પછી તમારા પતિ સાથે વાત કરવી જોઈએ અને તેમને કહેવું જોઈએ કે તમારા લોકો વચ્ચે જે કંઈ થયું તેનાથી તે ખુશ નથી. તેમજ તમે પ્રશિક્ષિત કાઉન્સેલરની મદદ લઈ શકો છો. રિલેશનશિપ એક્સપર્ટે કહ્યું કે તેણે ભૂતકાળમાં ઘણી મહિલાઓના જીવનને સાચા રસ્તે આવતા જોયા છે. તેથી, જો તે ઇચ્છે તો, તે આ મુશ્કેલ સમયનો સામનો કરવા માટે તેની ટીપ્સનો સહારો લઈ શકે છે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો