માણસ જીવતો હોય ત્યારે તેને સુરક્ષાની જરુર પડે છે પરંતુ મુત્યુ પછી તેના અસ્થિનું પણ રક્ષણ કરવાના દિવસો આવ્યા છે. આ ના માનવામાં આવે તેવી હકિકત છે. પંજાબના લુધિયાનાના શામનગરમાં આવેલા શાંતિવન સ્મશાનઘાટમાં ચોરીના ડરથી અંતિમ સંસ્કાર પછી અસ્થિઓ અને રાખને પણ તાળામાં રાખવામાં આવે છે. અંતિમક્રિયા થયા પછી મૃતકના સગા સંબંધીઓની હાજરીમાં જ પિંજરુ ઊભું કરીને તાળું મારવામાં આવે છે.
સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે
એટલું જ નહી સ્મશાનઘાટ પર સીસી ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહી તેની ચાવી સગા સંબંધીઓને આપી દેવામાં આવે છે. શાંતિવન પ્રબંધન કમિટીના જણાવ્યા મુજબ જયારે અસ્થિ ઠરી ના જાય ત્યાં સુધી ચાર થી પાંચ દિવસ સુધી તાળું લગાવવામાં આવે છે. આ અંગે સ્મશાન પ્રબંધન કમિટીના જણાવ્યા મુજબ અપરણીત અને ગર્ભવતી મહિલાઓના અગ્નિ સંસ્કાર પછી સગા સંબંધીઓ ખૂબજ કાળજી રાખે છે. કારણ કે આ અસ્થિઓનો ઉપયોગ તાંત્રિક ક્રિયા માટે કરવામાં આવતો હોવાથી તેની ચોરી થાય છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી