રાજ્યના વાતાવરણમાં પલટો જોવાયો છે. અમદાવાદમાં પણ વહેલી સવારે વાદળછાયા માહોલ સાથે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. સવારથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જોવા મળ્યુ. ડ્રાફ્ટ અને સાઈકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

દાહોદ અને મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેશે. તો બે દિવસમાં ઠંડીનુ જોર ફરી વધે તેવી શક્યતા છે.
અરવલ્લીમાં ખેડૂતો ચિંતામાં
અરવલ્લી પંથકમાં હવામાનની આગાહી અનુસાર, વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કે, વાદળછાયા વાતાવરણને લીધે જિલ્લામાં પડી રહેલી ઠંડીમાં આંશિક રાહત મળી છે. અરવલ્લી પંથકમાં માવઠું થવાની આગાહીએ ખેડૂતોમાં ચિંતા જન્માવી છે.
બનાસકાંઠામાં માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં માવઠું સર્જાવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા મુકાયા છે. આગાહીને લઈ તંત્રએ માર્કેટ યાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપી છે. હવામાન વિભાગે જિલ્લામાં બીજીથી ચોથી જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ