GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

અમે ભાજપના ગુલામ નથી, બેઠકની ફાળવણી બાદ લઇશું ગઠબંધનનો નિર્ણય

બિહારમાં એનડીએના સાથી પક્ષો વચ્ચે લોકસભાની બેઠક મામલે ઘમાસાણ સર્જાયુ છે. RLSP દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે ભાજપના ગુલામ નથી. બિહારમાં બેઠકની ફાળવણી મતની ટકાવારી પ્રમાણે થવી જોઈએ. RLSPના મહાસચિવ નાગમણિ કુશવાહે  કહ્યું કે, RLSP એનડીએ સાથે રહેશે કે નહીં તે અંગે ફરીવાર વિચાર કરશે.

નાગમણિએ કહ્યુ કે, બિહારમાં સરકાર નીતિશ કુમાર નથી ચલાવી રહ્યા. બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારના રાજમાં વિકાસના કામ ઠપ્પ થઈ ગયા છે. નાગમણિએ વધુમાં રહ્યું કે, હવે એ જોવાનું રહેશે કે, એનડીએ RLSPને કેટલી બેઠક આપે છે અને બેઠકની ફાળવણી માટે કેવા પ્રકારનો નિર્ણય લે છે. જે  બાદ RLSP એનડીએમાં રહેવુ કે નહીં તે અંગે નિર્ણય લેશે.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk
GSTV