જેમનું સ્વસ્થ હૃદય હશે, તેમનું શરીર પણ સ્વસ્થ હશે. તેથી આ ઉપાયોને અપનાવી જમે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હૃદયના સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદ કરો છો. વ્યક્તિ જે પણ આરોગે છે તે ન માત્ર શરીરના વજન પર અસર નાખે છે, પરંતુ હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. પોતાના આહારમાં એવા ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જોઈએ, જ તેના સ્વાસ્થ્યને સારુ બનાવે. કેટલાક સૂકા મેવાનું સેવન તેના સ્વાસ્થ્યને વધારવાની સાથે-સાથે સંપૂર્ણ સ્વાસ્થ્યને પણ ફાયદો આપે છે. તે માટે અખરોટને આહારમાં સામેલ કરી શકો છો.
વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
અખરોટમાં વિટામિન બી, ફાયબર, મેગ્નીશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા વિટામિન ઈથી ભરપૂર છે. અખરોટ પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે. અખરોટ સોજાને નિયંત્રિત કરવા, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ બધા ગુણ એકસાથે હૃદય સ્વાસ્થ્યને પણ સારા બનાવી દે છે.

કેટલા અને ક્યારે ખાવા જોઈએ અખરોટ
અખરોટમાં કેલરી વધારે હોય છે અને તેને સંયમથી સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. વધુ પ્રમાણમાં અખરોટનું સેવન વજન વધારી શકે છે. અખરોટનું વધારે સેવન ડાયરિયા સાથે પણ જોડવામાં આવ્યુ છે. લોકોને લાગે છે કે, તેમાં ફેટ ઘણા પ્રમાણમાં હોય છે અને આ શરીરનું વજન વધારી દેશે, પરંતુ તેની વિપરિત સીમિત માત્રામાં અખરોટનું સેવન વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. કારણ કે, તેમા પ્રોટીન, ચરબી અને કેલરીની યોગ્ય માત્રા શામેલ છે
ખાલી પેટ અખરોટનું સેવન ન કરો
દરરોજ એકથી બે અખરોટનું સેવન સવારે અથવા સાંજે નાશ્તાના રૂપમાં કરવામાં આવે છે. એક દિવસમાં પાંચથી વધારે અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ગરમ હોય છે અને તાવ, છાલા જેવી બીમારીની પણ વધારી શકે છે. કફ હોય તો તેનું સેવન ન કરો. ખાલી પેટ અખરોટનું સેવન ન કરો. અખરોટના તેલથી કેટલાક દિવસ માટે પેટમાં બળતરા થઈ શકે છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…