વડોદરાના ડભોઇમાં વ્યાજખોર પિતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડભોઇના રાણાવાસમાં રહેતા વેપારી મહેશ કેશવભાઈ પુરબીયાએ ડભોઇ ઉમા સોસાયટીમાં રહેતા કોટુંરામ રાવલાણી અને તેના પુત્ર રામચંદ્ર પાસેથી 2005 થી આજ સુધી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. વ્યાજે આપેલી આ રકમ સામે વ્યાજખોર પિતા અને પુત્રએ 61 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત મોતુરામના બીજા પુત્ર ગોપાલ પાસેથી વેપારીએ 40,000 10 ટકા વ્યાજે લીધા હતા તેની સામે વેપારીએ 3.96 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. વ્યાજે લીધેલી રકમ સામે અનેક ગણી રકમ ચૂકવવા છતાં પિતા અને બંને પુત્રોની ઉઘરાણી સતત ચાલુ રહી હતી તેમજ જબરજસ્તી 17 કોરા ચેક લખાવી લીધા હતા અને ધમકી આપી હતી. આ અંગે વેપારીને વ્યાજના વિષચક્રમાં ફસાવી દેનાર પિતા અને બંને પુત્રો સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી ઝુંબેશ ચાલી રહી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસે આપેલી હિંમતથી વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યાં છે અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ લખાવી રહ્યાં છે. રાજ્યના શહેરોમાં સ્થાનિક પોલીસ કેમ્પ કરી રહી છે અને વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ અને પરિવારોને રજૂઆત કરવાની તક આપી રહી છે, જેને પરિણામે વિવિધ શહેરોમાંથી વ્યાજખોરોના આતંકની ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.
READ ALSO
- શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો
- અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો
- સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ