રશિયા સાથેની લડાઈમાં યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુક્રેને દુશમન દેશના મેજર જનરલ વીંટાળી ગેરાસિમોવ ને મોતને ઘાટ ઉતાર્યા છે. ધ કિવ ઈન્ડિપેન્ડેડે રક્ષા મંત્રલાયના મુખ્ય ગુપ્તચર નિર્દેશાલયના હવાલાથી દાવો કાર્યો છે કે આના પહેલા રશિયાના એક મોટા સૈન્ય અધિકારીનું પણ યુદ્ધમાં મૃત્યુ થયું છે.

કિવ ઈન્ડિપેન્ડન્ટે એક ટ્વિટમાં લખ્યું, “યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય ગુપ્તચર વિભાગે કહ્યું કે યુક્રેને ખાર્કિવ નજીક રશિયન મેજર જનરલ વિતાલી ગેરાસિમોવની હત્યા કરી છે.” ગેરાસિમોવ એક વરિષ્ઠ લશ્કરી અધિકારી હતા જેમણે બીજા ચેચન્યા યુદ્ધમાં ભાગ લીધો હતો અને “ક્રિમીઆના કબજે” માટે તેમને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. સીરિયન યુદ્ધમાં રશિયન લશ્કરી અધિકારી વિટાલીએ પણ ભૂમિકા ભજવી હતી. આના થોડા દિવસો પહેલા યુક્રેનની સેનાએ એક રશિયન મેજર જનરલ આંદ્રે સુખોવેત્સ્કીની હત્યા કરી હતી. પુતિનના ખાસ ગણાતા આન્દ્રે રશિયાના 7મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ ઓફિસર હતા. 24 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ સંઘર્ષની વચ્ચે રશિયાએ તેના બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને ગુમાવ્યા છે. પરંતુ, રશિયન સરકારે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી.

વિશ્વના સૌથી મજબૂત સૈન્યને યુક્રેન રણનીતિ અને કૂટનીતિની સાથે સૈન્ય શક્તિનએ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર જેલેન્સકી એ દાવો કર્યું છે કે, એમની સેનાએ રશિયાના 11000 થી વધુ જવાનોને મોતના ઘાટ ઉતાર્યા છે. સાથે મોટા પાયે રશિયન સૈન્યને તબાહ કર્યું છે .બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિરર્થક રહી હતી. યુક્રેનની વાટાઘાટો કરનારી ટીમના સભ્ય પોડોલિકે જણાવ્યું હતું કે અત્યાર સુધી એવું કોઈ પરિણામ આવ્યું નથી કે જેનાથી પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થાય. તે જ સમયે, રશિયન વાટાઘાટો ટીમના વડા, મેડિન્સકી કહે છે કે તેમનું પ્રતિનિધિમંડળ યુક્રેન સાથેની વાતચીત દરમિયાન અમારી અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી.
READ ALSO:
- EXIT POLLમાં ભાજપનો ઘોડો રેસમાં આગળ છે તો પંજાબમાં આપનું ઝાડું ચાલ્યું ને કોંગ્રેસને નિરાશા મળે તેવી શક્યતા
- એશીયાઇ શેરબજારો ધ્વસ્ત: રૂપિયો ઓલ ટાઈમ લો થઇ 77 નજીક તો ક્રૂડ ઓઈલ 140 ડોલરની 14 વર્ષની સપાટીએ
- ઈકો ફ્રેન્ડલી સાડી / ITA અવોર્ડમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી આલિયા ભટ્ટ, સાડીએ ખેંચ્યું લોકોનું ધ્યાન
- મસાલા માર્કેટમાં માેંઘવારીનો માર, ગૃહિણીઆે માટે ઘરનું બજેટ બન્યું છે સૌથી મોટો પડકાર
- રશિયા-યુક્રેન યુદ્ધની અસર / આગામી નાણાકિય વર્ષમાં 8 ટકાથી ઓછો રહેશે GDP ગ્રોથ, મોંઘવારી વધવાનું જોખમ વધ્યું