GSTV
India News Trending

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

ઉદ્ધવ ઠાકરે એ રાજકીય રીતે ફરીવાર સક્રિયતા દર્શાવી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ પ્રકાશ આંબેડકરની આગેવાની વાળા વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું છે. ઉદ્ધવ સમૂહવાળી શિવસેના અને વંચિત બહુજન અઘાડી થયેલા આ ગઠબંધનને શિવ શક્તિ અને ભીમ શક્તિના ગઠબંધન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

વર્ષ 2023માં બીએમસીની ચૂંટણી અને વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધન ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ચર્ચા-વિચારણાના અંતે અમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેના મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ છે, જેમાં તેના સાથી દળ – કોંગ્રેસ અને એનસીપી છે. નોંધનીય છે  કે એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા બળવા બાદ ઘણા ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનું સાથ છોડી દીધું હતું.

Also Read

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV