ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે CMની મોટી બેઠક યોજશે. આજે સાંજે 6 કલાકે રાજભવન ખાતે મહત્વની બેઠક યોજશે.

2022ની ચૂંટણી પહેલાં ફરી એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ
2022ની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ ફરી એક મંચ પર જોવા મળશે. લેઉવા-કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળશે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. ખોડલધામ અને ઉંઝા ઉમિયા ધામના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે CM મહત્વની બેઠક કરશે.

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા કરાશે ચર્ચા
અત્યાર સુધીમાં પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાને લઇને જરૂરી વાતચીત થશે. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા CMને રજૂઆત કરવામાં આવશે.

CM સાથે બેઠકમાં હાજર રહેનારા આગેવાનો
- નરેશ પટેલ, ખોડલધામ
- મણીભાઈ મમ્મી, ઊંઝા ઉમિયાધામ
- બાબુ જમનાદાસ પટેલ
- જયરામ પટેલ, સિદસર મંદિર
- દિલીપ નેતા, ઉંઝા મંદિર
- વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
- રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
- દિનેશ કુંભાણી, ખોડલધામ
READ ALSO :
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત