GSTV
India News Trending

રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને અખિલેશ યાદવવી સમાજવાદી પાર્ટીએ ત્રીજો મોરચો રચવાના સંકેત આપ્યા છે ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, કોંગ્રેસ વગર કોઈ વિપક્ષી મોરચો મજબૂત બની જ ન શકે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે હુંકાર કર્યા કે, ભાજપ વિરોધી ગમે તે મોરચો બનાવો પણ તેમાં કોંગ્રેસનું હોવું જરૂરી છે.


જયરામ રમેશે અત્યંત અહંકારભર્યા સ્વરમાં કહ્યું કે, આ રીતે મોરચા બનતા રહે છે. થર્ડ ફ્રન્ટ, ફોર્થ ફ્રન્ટ, ફિફ્થ ફ્રન્ટ બનતાં રહેશે પરંતુ વિપક્ષનો મોરચો બને તો તેમાં કોંગ્રેસની ભૂમિકા મહત્વની રહેશે. કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી.

જયરામ રમેશના ટોનને રાજકીય વિશ્લેષકો તોછડો અને અહંકારભર્યો ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ભાજપ વિરોધી પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસની નહી પણ કોંગ્રેસને તેમની જરૂર છે. કોંગ્રેસના નેતા આ વાત સમજવા જ તૈયાર નથી અને વાહિયાત નિવેદનો કરીને પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસથી દૂર ધકેલીને રાજકીય ફાયદો કરાવી રહ્યા છે.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV