મેઘાલય વિધાનસભામાંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાં અપાયાના એક દિવસ બાદ મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલા ધારાસભ્યોએ આપેલા રાજીના માંથી કોઈ ફરક પડતો નથી. મેઘાલય રાજ્યમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી ના બે અને એક વિપક્ષી તૃણમૂળ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જેથી તેની પાર્ટીઓને ઝટકો લાગ્યો છે.

મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે આ બરાબર છે. ધારાસભ્ય ચૂંટણી પહેલા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્ટી બદલે છે. હું તેને શુભકામના આપું છું અને કોઈ પણ રાજકીય પક્ષમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. જ્યાં સુધી મારી પાર્ટીની વાત છે ત્યાં સુધી અમે ચૂંટણીની તૈયારી કરી લીધી છે અને આગળ પણ કરીશું. મેઘાલયમાં આગામી વર્ષના શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી યોજાશે.

મેઘાલયમાં હાલ એનપીપીના સદનમાં 21 સભ્યો છે અને યુડીપીના 8 ધારાસભ્યો છે. પીડીએફ ના ચાર સભ્યો છે જ્યારે ભાજપના બે, એચએસપીડીપી ના બે અને આઈએનડીના સાત સભ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજીનામું આપનાર ધારા સભ્યોએ જાહેર કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે.
READ ALSO
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો