GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

પીએમ મોદીના કાર્યક્રમમાંથી આ નેતાઓને કાપી દેવાયા, ન મળ્યો મંચ કે ન મળ્યું સન્માન

મોદી

સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મંચ પર કયા મહાનુભાવ બિરાજશે એઅંગે વડાપ્રધાન કાર્યાલય સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં એસપીજીની ભૂમિકા પણ મહત્વની હોય છે મોટેભાગે મંચ પર ત્રણ. પાંચ, કે સાત.. એકી સંખ્યા હોય, એ મતલબની બેઠક વ્યવસ્થા ગોઠવવાની હોય છે.

મોદી

માત્ર સ્થાનિક સંસદસભ્યોને અને જે તે વિભાગના મંત્રીઓને જ ઉપસ્થિત રહેવાની મંજૂરી મળી

સૂત્રો કહે છે તેમ ગાંધીનગરથી પ્રોટોકોલ અનુસાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના નામ સૂચવવામાં આવ્યા હતા પરંતુ માત્ર સ્થાનિક સંસદસભ્યોને અનેજે તે વિભાગના મંત્રીઓને જ ઉપસ્થિત રહેવાની મંજૂરી મળી હતી.

મોદી

રૃપાણી અને નિતિનભાઈ પટેલને પહેલી હરોળમાં બેસવાનો વારો આવ્યો

જેને પગલે રૃપાણી અને નિતિનભાઈ પટેલને પહેલી હરોળમાં બેસવાનો વારો આવ્યો હતો. સંસદસભ્યોમાં કિરીટભાઈ સોલંકી ના ધર્મ પત્નીનું અવસાન થયું હોવાથી ગેરહાજર હતા જ્યારે પૂર્વ અમદાવાદ સાંસદ હસમુખભાઈ પટેલ ઉપરાંત રાજ્યસભાના સભ્ય નરહરિ અમીનને મંચ પર બેસવાની તક મળી હતી. આ સમગ્ર ઘટનાક્રમ ઉપરાંત એવી ચર્ચા ચાલે છે કે એક કદાવર નેતા ગાંધીનગર અને અમદાવાદ માં ઉપસ્થિત હતા છતાં વડાપ્રધાન મોદીના કેટલાક કાર્યક્રમમાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

Read Also

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV