અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બની રહેલા ફુટ ઓવરબ્રીજની 90 ટકા કામગીરી પુરી કરી લેવામાં આવી છે. માત્ર ફીનીસીંગની કામગીરી બાકી છે. રુપિયા ૭૪,૨૯,૭૮,૪૦૬ના ખર્ચથી તૈયાર કરવામાં આવેલો આ ફુટ ઓવરબ્રીજ આગામી બે મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય એવી સંભાવના છે. આ ફુટ ઓવરબ્રિજની મદદથી નદીના એક છેડેથી બીજા છેડે ચાલતા જઈ શકાશે.

એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે સાબરમતી રીવરફ્રન્ટ પર ચાલી રહ્યું છે ઓવરબ્રીજનું નિર્માણકાર્ય
આ અંગે મળતી માહિતી મુજબ, સાબરમતી નદી ઉપર એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફુટ ઓવરબ્રીજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. બ્રીજની લંબાઈ ૩૦૦ મીટર રાખવામાં આવી છે.પહોળાઈ ૧૦થી ૧૪ મીટર સુધીની રાખવામાં આવી છે.
આ ફુટ ઓવરબ્રિજ ઉપર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે
સ્ટીલની મદદથી બનાવવામાં આવેલા આ ફુટ ઓવરબ્રિજ ઉપર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જેથી બ્રીજ ઉપરથી પસાર થનારા મુલાકાતીઓ થોડીવાર રેસ્ટ પણ કરી શકે. રાતના સમયે આ ફુટ ઓવરબ્રીજ રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠશે.આ બ્રીજ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કીનારે બે અદ્યતન સ્પોર્ટસ સંકુલ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
READ ALSO :
- મહાઠગબાજની મુશ્કેલીમાં વધારો! પૂર્વ મંત્રીના ભાઈએ ભેજાબાજ વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ, વધુ એક ફરિયાદ નોંધાશે કિરણ સામે
- ખાસ વાત! અમદાવાદ શહેરની કેનાલોની કાયા પલટાશે, 150 કરોડ઼નાપ્રોજેક્ટ પર કરશે તંત્ર કામ
- જેલમાં સજા કાપી રહેલા અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુના પત્નીએ લખી ઈમોશનલ પોસ્ટ, દરરોજ તમારી રાહ જોવી ખૂબ જ પીડાદાયક
- એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં જ થશે! ભારતીય ખેલાડીઓને લઇ મોટો નિર્ણય
- માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં લોકસભા સભ્યપદ જશે, કાયદાકીય રીતે સભ્યપદ બચાવવા માટે છે માત્ર આ વિકલ્પ